________________
૧૫
- જૈન દર્શનનો અભ્યાસી નય વિશારદ મનુષ્ય તે બધા નાના વકતવ્યને સાચું માને છે કેઈને પણ તે જુઠો કહેતો નથી. સાથે સાથે કોઈ એકાદ નયની વાતમાં જ આગ્રહી કે પક્ષપાતી બની જતો નથી, પણ દરેક નાની વાતોને સમાન દષ્ટિથી જુએ છે. અને દરેકને સમન્વય કરી સંપૂર્ણ વસ્તુને નિર્ણય કરે છે. તે જ્ઞાન નયનું પણ વકતવ્ય સાંભળે છે અને કિયા નયનું પણ વકતવ્ય સાંભળે છે. અને બંને નાની દલીલ સાચી માને છે. પણ તે મધ્યસ્થ બંને નયેની દલીલ નો સમન્વય કરી તત્વને નિષ્કર્ષ કાઢે છે કે જ્ઞાનને કિયાની જરૂર છે અને ક્રિયાને જ્ઞાનની જરૂર છે.
બંને જ્ઞાન અને કિયા સાપેક્ષ રહીને જ ઈષ્ટ કાર્ય સાધી શકે છે. એમ મધ્યસ્થ સ્પષ્ટ માને છે. તેમ નિશ્ચય નય અને વ્યવહાર નય પિત પિતાના વકતવ્યમાં સાચા હોવા છતાં અને બંનેની દલીલ સાચી હોવા છતાં પણ તે પ્રત્યેકથી કઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી. પણ તે બંને મળીને જ કાર્ય સિદ્ધ કરી શકે છે. એમ અર્થ નય અને શબ્દ નયમાં પણ સમજ્યુ. જેમ દ્રવ્યમાર્ગ ઉપર ચાલવા માટે આંખ અને પગ બંનેની સાથે જરૂર પડે છે તેમ ભાવમાર્ગ ઉપર ચાલવા માટે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાથે જરૂર પડે છે. જ્ઞાન આંખ સ્થાને છે અને પગ ક્રિયા સ્થાને છે. બંનેના સહયેગથી જ ગતિરૂપી કાર્ય થાય છે. એક બીજાના અભાવે તે અટકી પડે. પગ કહે કે આંખ મારા વગર શું કરવાની છે? જ્યારે આંખ કહે કે પગ મારા વગર શું કરવાનો છે? આ બંનેની દલીલે મધ્યસ્થ સાંભળી ન્યાય આપે છે કે તમારે બંનેને ચાલવું હોય તો તમે બંને સંપ કરી ચાલવા માંડે, નહીંતર રસ્તા વચ્ચેજ અથડાઈ મરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org