________________
૧૪
ખ્યાલ રહે છે કે પ્રત્યેક નય વસ્તુના એક અંશનુ પ્રતિપાદન કરતો હોવાથી પ્રત્યેક નય સંપૂર્ણ વસ્તુ ગ્રાહક નથી. તેથી કોઇ એક નય ગ્રાહ્ય વિષયને જ સંપૂર્ણ વસ્તુ માની એસે નહિ. જૈન દર્શન તા સ નયાત્મક છે. સર્વ નયા મળીનેજ પૂર્ણ વસ્તુનું સ્વરૂપ બતાવી શકે છે. પ્રત્યેક નયના અભિપ્રાયા ભેગા કરવાથી સંપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન થાય છે. અન્યથા એકાંત એકેક નયથી પ્રતિપાદિંત વસ્તુ વાસ્તવમાં વસ્તુજ નથી. વસ્તુના એકાદ અંશમાં જ માત્ર વસ્તુ રહેલી નથી, પણ વસ્તુના સમસ્ત અશામાં તે વ્યાપીને રહેલી છે.
આત્માના અસભ્યેય પ્રદેશે છે. તેમાં કાઇ પ્રથમ પ્રદેશમાં જ આત્મા માને તો ખેાટું, કાઇ ખીજામાં જ માને તો પણ ખેાટું, કાઇ ત્રીજા પ્રદેશમાં જ માને તો પણ ખાટુ, તો સાચું શું? આત્માનું સ્વરૂપ અસભ્યેય પ્રદેશમય હોઇ તે એકેક પ્રદેશમાં અંશરૂપે હોવા છતાં પણ એકાંત મળે એક એક પ્રદેશમાં આત્મા નથી. જેમ પ્રત્યેક અલગ અલગ મેાતીમાં માળા નથી દેખાતી. પણ તેજ અલગઅલગ મેાતીએ જ્યારે યથાસ્થાને ભેગા થઇ ગેાઠવાઇ જાય છે ત્યારે જ માળા કહેવાય છે પ્રત્યેક અલગઅલગ નદીએ માં કયાંયે સમુદ્રનું દન થતું નથી તેમ પ્રત્યેક નયની વસ્તુમાં કયાંયે સંપૂર્ણ વસ્તુનુ દર્શન થતુ નથી. છએ આંધળાઓએ પેાત પેાતાના પકડેલા અવયવને સંપૂર્ણ હાથી માની બેઠા હતા પણ જ્યાં એ દેખતાએ આવી હાથીના પ્રત્યેક અંગેા ભેગા કર્યા તો સંપૂર્ણ હાથી ખની ગયા એટલે દરેક આંધળા હાથીના પ્રત્યેક અંગને પૂર્ણ હાથી માની બેઠે। હતો પણ બધા આંધળાએના વકતવ્યને ભેગુ કર્યું તો પૂર્ણ હાથી બની ગયા અને વિવાદ શમી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org