________________
૩૦૫
આત્માની, પાપ-પુણ્યની, પરમાત્માની ન્યાય—નીતિ અને પ્રમાણિકતાની વાર્તા કયાં રહી છે? કેટલાક તેા નિરક વિષય ભણાવવામાં આવતા હાય છે આમાં વિદ્યાર્થીના જીવનનું ઉત્થાન કેવી રીતે થવાનું? આજે જ્યાં જુએ ત્યાં વિદ્યાર્થીઓમાં અવિનય, અશિસ્ત, ઉદ્ધતાઈ, છાકટાપણું, ઉડાઉપણુ’, સ્વાર્થ વૃત્તિ, તેાફાન, અસહિષ્ણુતા વધતી જોવા સાંભળવા મળે છે, છતાં આ અંગે કંઈ સક્રિય પગલાં લેવામાં આવતાં દેખાતાં નથી. તે જતે દિવસે આવા વિદ્યાથીએ અને વિદ્યાર્થીનીઓથી બનેલેા સમાજ કેવા હશે એનું જરા કલ્પનાચિત્ર આંખ સામે લાવીને જોવા જેવુ' છે. એકલી ખુમે મારેફરીયાદો કરે હવે ચાલે તેમ નથી, પણ મૂલથીજ કેળવણીમાં સુધારા કરવાની જરૂર છે, જેથી નષ્ટ થતી આ સંસ્કૃતિને બાવી શકાશે. જે તત્ત્વા ખરાબ દાખલ થયાં છે એને કાઢીને એની જગ્યાએ બાળકના ચારિત્રનું ઉત્તમ ઘડતર કરે એવાં તત્ત્વા આજની કેળવણીમાં દાખલ કરવા જેવાં છે. આના માટે બાળકોના માબાપેાએ, શિક્ષકોએ, સમાજના આગેવાન ગણાતા અને દેશનેતાઓએ પણ આમાં સક્રિય ફાળા આપવે પડશે. ધ ગુરૂઓનું પણ માદન આમાં જરૂર માગવુ જોઇએ. ધર્માંના સિદ્ધાંતા અને આચારાનુ શિક્ષણ જ્યાંસુધી આપવામાં કે લેવામાં નહીં આવે ત્યાંસુધી જીવનની સમશ્યાઆના ઉકેલ પણ આવવાના નથી. અને સમશ્યાઓ નહીં ઉકલે તેા જીવનમાં સાચી શાંતિ-સુખ જોવા નહીં મળે. મનુષ્ય પેાતાના મનનું સમાધાન કરતાં શીખે એવુ શિક્ષણ અપાત્રુ જોઇએ.
ગમે તે વાંચવું, ભણવું એ કાંઈ સમ્યજ્ઞાન નથી, પણ જે વાંચવાથી, ભણવાથી ચિત્તમાં શાંતિ, હૃદયની પ્રસન્નતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org