________________
७०४
કુટી બદામ જેટલી પણ કિંમત નથી.
સદાચારથીજ મનુષ્ય મહાન છે, સદાચાર એજ સાચું ધન છે, એજ સાચી સત્તા છે, એજ સાચું જીવન છે, જે શક્તિ છે, એજ તેજ છે, એ પરાક્રમ છે, એ જ સાચી બુદ્ધિ છે, એજ સાચું જ્ઞાન છે, એજ સાચી કળા છે, એજ સાચ્ચે હુન્નર છે, એજ જગતની સાચી માતા છે, સદાચાર વિહેણું જીવન એટલે મરેલું જીવન છે–સડેલું જીવન છે, વિકૃત જીવન છે, પતિત–ભ્રષ્ટ જીવન છે, માટે સદાચારના પાલનમાંજ માનવની શોભા છે, સદાચાર એજ માનવનો સાચે શણગાર છે, સદાચાર દ્વારા જે યશ-કીર્તિ–પ્રસિદ્ધિ મળે છે એજ સારા અને હકદના છે, બાકીનાં તો નકલી અને તફડંચી કરેલાં છે.
પહેલાના કાળમાં પણ ચોસઠ કળા અને બહેતર કળાનું શિક્ષણુ અપાતું, પણ એ ભણાવનાર ઉપાધ્યાય (શિક્ષક)નું
જીવન એટલું બધું નિર્મળ સદાચારી અને નિઃસ્પૃહી હતું કે વિદ્યાર્થીના માનસ ઉપર એના જીવનની સુંદર છાયા પડી જતી, આજે સુટ-પેન્ટમાં સજજ બનીને, પગમાં ઉંચી જાતના સુઝ અને મેંઢામાં સીગરેટ હોય, અને પગાર લેનારા ભાતિ શિક્ષકે પાસેથી શું સદાચારના પોષણની આશા રાખી શકાય ? બાળકમાં અનુકરણ શક્તિ વિશેષ હોય છે, એ શિક્ષકનું નખથી માંડી શીખા સુધીનું નિરીક્ષણ બારીકાઈથી કરતો હોય છે, એથી આજના વિદ્યાર્થીને સાદું જીવન–સાદી રહેણુકરણું પસંદ નથી પડતાં, બીજું સ્કુલ-કોલેજોમાં કેવી વેશભુષા કરીને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આવે છે એ જ એનું માનસ કઈ બાજુ ઢળી રહેલું છે એનું એ સ્પષ્ટ પ્રતિબિંબ છે.
આજના પાઠય પુસ્તકોમાં ધર્મની, પરલેકની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org