________________
૧૨
કરે છે તે કોઇવાર આ માટી છે’ એવું નયજ્ઞાન કરે છે. તે કાઇવાર આ પાણી ભરવાનું સાધન છે.' એવુ' નયજ્ઞાન કરે છે તેા કાઇવાર આ ઘડા અનિત્ય છે' એવું નયજ્ઞાન કરે છે તા કાઇવાર આ મંગળ ઘર છે’ એવુ નયજ્ઞાન કરે છે. એટલે એકજ વસ્તુને મનુષ્ય ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી પ્રસંગ વશાત્ જુએ છે. અને જે વખતે વસ્તુના જે અંશને પ્રધાન કરી જીવે છે તે વખતે વસ્તુમાં રહેલા બીજા અશાને ગૌણ રૂપે રાખી તેની પ્રતિ ઉદાસીન રહે છે. કારણ તે વખતે તે અંશેાનુ તેને ક ંઇપણ પ્રયાજન ભાસતું નથી. તેથી તે તેની સામે દૃષ્ટિ પણ કરતા નથી.
આ અંશ જ્ઞાનને નયજ્ઞાન કહેવાય છે.’ આ નયજ્ઞાન વિના મનુષ્યના વ્યવહાર ચાલી શકતા નથી. જાણતાં કે અન્નછતાં નયજ્ઞાનને ઉપયાગ મનુષ્ય કરતા જ હોય છે. પણ તેને તેનું જ્ઞાન ન હોવાથી તેની મહત્તાને સમજી શકતે નથી.
જેટલા વચનના પ્રકારો છે. તેટલા નયવાદો છે.’ એવું શાસ્ત્રીય વચન છે. માટે શાસ્ત્રકાર કહે છે કે વચન એવુ હોવુ જોઇએ કે જેના દ્વારા જડ ચેતન વસ્તુઓને યથાસ્થિત ન્યાય મળે. તેમના સ્વરૂપમાં હાની ન આવે અને નિરાખાધ જગતને વ્યવહાર ચાલી શકે, અને જે વાનમાં વિસંવાદ ન હોય. જે વચન એલાય તે દ્વારા તે વસ્તુની તેવા સ્વરૂપમાં પ્રાપ્તિ થવી જોઇએ., પ્રતીતિ થવી જોઇએ. એટલા માટે વસ્તુના કાઇ એકાદ અંશને જ સત્ય માની બીજા તે જ વસ્તુમાં રહેલા અનેક વિદ્યમાન સદ્ અંશેાના અપલાપ કરવા તે નયજ્ઞાન કે નયદૃષ્ટિ નથી. “નયતા પેાતાના ઇષ્ટ ધનું સ્થાપન કરી બીજા બીજા નયના વિષયાનું પ્રતિપાદન પણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org