________________
Good@poopoooooooooo આ જૈન દર્શનનો નયવાદ છે
, નયજ્ઞાન એ અપૂર્ણ જ્ઞાની માટે અત્યંત આવશ્યક છે. પૂર્ણ જ્ઞાનીને નયજ્ઞાનની અપેક્ષા હોતી નથી. તેમને તે સમસ્ત વિશ્વના સમસ્ત ભાવે હસ્તામલકવતું પ્રત્યક્ષ હોય છે. છદ્મસ્થ મનુષ્ય નયદાનથી જ મધ્યસ્થ વિરાર શીલ બની શકે છે. નયજ્ઞાનથી જ મનુષ્યના વિચારે સત્ય, ન્યાયી અને સ્થિર બની શકે છે. કેવલ જ્ઞાનીને (સર્વસને) આ નયજ્ઞાનની અપેક્ષા હોતી નથી તેમણે તો પ્રમાણ જ્ઞાન હોય છે. કેવલ જ્ઞાની તે પ્રતિ સમય પ્રત્યેક વસ્તુમાં રહેલ અનંત અનંત ધર્મોને સાક્ષાત જાણી જોઈ શકે છે તેથી તેમના જ્ઞાનને નય જ્ઞાન ન કહેવાય પણ પ્રમાણ જ્ઞાન કહેવાય.
- જ્યારે સામાન્ય મનુષ્યનું જ્ઞાન એક સાથે વસ્તુમાં રહેલ સમસ્ત ધર્મોને જાણવા અસમર્થ હોઈ તેને એક સાથે એક વસ્તુના સમસ્ત ધર્મોનું જ્ઞાન હોતું નથી કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એક સાથે એક આત્માને એક જ ઉપયોગ હોય જ્યારે આત્મા એક જ વસ્તુના અનંતાનંત ધર્મોમાંથી કઈ એકાદ ધર્મનો પ્રયજન વશાત્ વિચાર કરી શકે છે. પણ એક સાથે વસ્તુમાં રહેલ અનંત ધર્મોને વિચાર કરી શક્તો નથી તેથી સામાન્ય મનુષ્યને એક વસ્તુના એકાદ ધર્મનું નયજ્ઞાન હોય છે. પણ સમસ્ત ધર્મોનું જ્ઞાન એક સાથે હોતું નથી.
કઈવાર ઘડાને જોઈ “આ લાલ છે એવું નયજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org