________________
૨૮૭ (૨) જેટલો મતિજ્ઞાનને ટકવાનો કાળ છે એટલે જ શ્રુતજ્ઞાનનો છે.
(૩) જે કારણોથી મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેજ કારથી શ્રુતજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે.
(૪) જેટલે વિષય મતિજ્ઞાનને છે, તેટલેજ વિષય શ્રુતજ્ઞાનને પણ છે.
(૫) જેમ મતિજ્ઞાન પક્ષ છે, તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે.
શકા- તો પછી બંને જ્ઞાનનું સામ્યજ થઈ ગયું અને એથી જ્ઞાન પાંચ નહીં, પણ ચાર જ ગણાશે
સમાધાન- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સ્વામી આદિની સમાનતા હોવા છતાં પણ લક્ષણ, ભેદ, કાર્ય-કારણભાવથી સુતરાં ભેદ પણ છે. કઈ પણ વસ્તુ જગતમાં એવી જેવા નહીં મળે, જેમાં બીજી વસ્તુઓની સાથે કંઈકને કંઈ સમાનતા ન હોય. માટે અમુક સમાનતા હેવા માત્રથી વસ્તુનું સર્વથા સામ્ય થઈ જતું નથી.
દા.ત- મતિજ્ઞાનના ૨૮ ભેદ છે, જ્યારે શ્રુતજ્ઞાનના ૧૪-૨૦ ભેદ છે મતિજ્ઞાન કારણ છે, જ્યારે શ્રુતજ્ઞાન કાર્ય છે. અને બંનેના લક્ષણે જુદાં છે તે તો આગળ જણાવી ગયા છીએ.
બીજું મતિજ્ઞાન અનક્ષર અને મુક છે, જ્યારે શ્રુતજ્ઞાન અક્ષર અને બોલતું છે. '
પ્ર. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનને નંબર કેમ રાખે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org