________________
૨૭૦
માત્રથી–તેના સંગ માત્રથી પરિગ્રહ બની જતો નથી. અને જે એમજ વસ્તુના સંગ માત્રથી જ પરિગ્રહ કહેવાતો હોય તો પૃથ્વી ઉપર પણ તેનાથી ચલાશે નહિ. મેરપીંછી કે તુંબડું કે ઠંડીથી બચવા ઘાસ પણ લેવાશે નહિ. હાથમાં ભેજનપા પણ કરાશે નહિ કારણ કે તેને સંગ શરીર સાથે અને જીભ સાથે થવાથી રાગ-મમત્વ થવાનો સંભવ છે. અરે ! શરીર પણ નિકટનું સંબંધી હોવાથી તેના ઉપર મમત્વ થવાનો વધારે સંભવ છે. તો તેને પણ ત્યાગ કરી દેવો પડશે!
એટલે સાધુઓએ તો બાહ્ય ધન-ધાન્યાદિ, કુટુંબ પરિવાર ઘર, દુકાન વગેરેનો સર્વથા ત્યાગ કરેલ હોય છે. સંયમસાધના માટે રાખેલા તુચ્છ ઉપકરણ ઉપર તેને મમત્વ કેમ થાય? ગૃહસ્થ તે રાગદ્વેષ અને મમત્વથી ભરેલા હોવાથી અને એટલી જ્ઞાનદશા જાગૃત થઈ ન હોવાથી તેઓએ પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ.
જરૂરી રાખેલા પરિગ્રહને પાપરૂપ માની તેને પરમાર્થથી આત્માથી ભિન્ન માની તેના ઉપર પણ આસક્તિ–મમત્વ ન થાય તે માટે સાધુ સંતોની સેવામાં રહી સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરતાં રહેવું, જેથી જ્ઞાનદશાના કારણે તે રાખેલા પરિગ્રહનું ઝેર રાત્રે નહિ અને મદ–અભિમાન ન થાય.
પરિગ્રહ એક એવો માનવજાતને નડતે ગ્રહ છે કે તેના કુપ્રભાવથી છટકવું પ્રાયે સામાન્ય પ્રાણીને માટે મુશ્કેલ હોય છે. કેઈજ ભવ્ય–ઉત્તમ જીવ સદૂગુરૂની કૃપાથી જ આ પરિગ્રહનો ત્યાગ કરવા શક્તિમાન બની શકે છે. અરે ! પશુઓ અને એકેદ્રિ વગેરે પણ આ પરિગ્રહના કુપ્રભાવથી બચેલા દેખાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org