________________
૨૬૪
ન જૈન દર્શનની દષ્ટિએ પ્રી બ્રહ્મ ચર્ય વિચાર
જfજ રઘેરે તિ પ્રણવર્ષ ' પિતાના આત્મસ્વરૂપમાં રમવું તેનું નામ બ્રહ્મચર્ય.
આત્મ સ્વરૂપમાં જ્ઞાનાદિ ગુણેના અર્જન-રક્ષણ અને આનંદમાં મસ્ત રહેવું તે બ્રાચાર્ય છે. આ આત્મસ્વરૂપ રમણતા ઇન્દ્રિયના વિષયેનો ત્યાગ કર્યા વિના આવતી નથી. તેથી પાંચ ઇન્દ્રિયના જે ૨૩ વિષયે એમાં સુંદર મનગમતા વિષયો મળતાં રાગ ન કરે અને અસુંદર–નગમતા વિષયો મળતાં શ્રેષ-અરૂચિ ન કરવી તેને પરમાર્થથી બ્રહ્મચર્ય કહે છે.
વ્યવહારથી સ્ત્રી-પુરૂષનું જોડું જે મિથુન કહેવાય છે. તેનું જે કર્મ સંગરૂપ તે મૈથુન (અબ્રહ્મ) તેનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્ય એ આત્માને મહાનમાં મહાન ગુણ છે. તે જ મહાનમાં મહાન ગુણ છે, તે જ માનવ જીવનનું અમૃત છે, તે જ માનવ જીવનનું સર્વસ્વ છે. વાસ્તવમાં બ્રહ્મચર્યનું–વીર્યનું રક્ષણ તેજ સાચું જીવન છે, તેજ શક્તિ છે, તેજ બળ છે અને તે જ પરમ તેજ છે. અને તે જ પરમધર્મ છે.
(૧) તેથી બની શકે તે સર્વથા ભાગને ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org