________________
૨૫૮
કહે છે જ્યારે બીજા દેશમાં પિતાને કાકા પણ કહેવાય. તે તે જનપદ સત્ય કહેવાય છે. જે દેશમાં જે વસ્તુને કે વ્યક્તિને જે નામથી બોલાવાતી હોય તે વસ્તુને તેજ નામથી બોલાવવી તે જનપદ સત્ય.
(૩) સંમત સત્ય- લોકમાં જે વસ્તુ સર્વ સંમત હોય જેમ કાદવમાં તો દેડકે સેવાલ પણ ઉત્પન્ન થાય છે અને કમળ પણ ઉત્પન્ન થાય છે છતાં લોકો કમળનેજ પંકજ કહે છે.
(૪) નામ સત્ય- કેઈનું નામ લક્ષ્મીચંદ પાડયું પછી ભલે તે દરિદ્રચંદ હોય છતાં તેને લક્ષ્મીચંદ કહી બોલાવે છે તેને નામ સત્ય કહે છે.
- (૫) રૂપ સત્ય- ગુણ ન હોવા છતાં પણ વેશધારી સાધુને સાધુ કહી બેલાવવામાં આવે તે રૂપ સત્ય.
. (૬) અપેક્ષા સત્ય- “આ અનામિકા આંગળી નાની છે. આ વચન અપેક્ષા સત્ય છે. અનામિકા નાની છે તે મધ્ય માની (વચલી) અપેક્ષાએ નહિ કે કનિષ્ઠાની અપેક્ષાએ.
(૭) વ્યવહાર સત્ય- જેમ પર્વત બળે છે, આ રસ્તે દિલહી જાય છે વગેરે વચને વ્યવહારથી સત્ય છે. વાસ્તવમાં તે પર્વત ઉપરનું ઘાસ સળગતું હોય છે, રસ્તે દિલ્હી સ્વયં જતો નથી પણ તે રસ્તાથી મનુષ્ય દિલ્હી જતો હોય છે છતાં કેઈએમ બોલે કે પર્વત સળગે છે, રસ્તે જાય છે તો તે સત્ય વચન છે, પણ અસત્ય નથી.
(૮) ભાવ સત્ય છે કે પિટમાં પાંચ વર્ણ છે છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org