________________
૨૫૩
વિના સદગતિ નથી, વ્રત વિના મુકિત નથી, વત વિના સુખ નથી, શાંતિ નથી, વ્રત વિના તૃણુએતો અંત નથી, ગત વિના મનુષ્ય નિર્ભય નથી. તેથી માનવ જીવનનું ફળ વતગ્રહણ અને તેનું સમ્યફે-દેષરહિત પાલન એજ છે.
આ રીતે જૈન દર્શનમાં ભગવાન તીર્થકરોએ સાધુધર્મના આચારે અને શ્રાવકધર્મના આચારે ખૂબજ વિસ્તારથી આગમ શામાં બતાવેલા છે. અહિં તે મેં તે આચરનું માત્ર દિગદર્શન કરાવ્યું છે. સમ્યગ-પવિત્ર આચાર-વિચાર એજ મનુષ્યનું સાચું ધન છે, એજ એને અમેરપદે પ્રાપ્ત કરાવનારૂં છે અને એજ જગતના જીને હિતકારી છે. અસદારાારી મનુષ્ય બીજા છ માટે ભયરૂપ છે, જ્યારે સદાચારી મનુષ્ય બીજા જીવો માટે આશિર્વાદરૂપ છે.
આ ગૃહસ્થ ધર્મ (શ્રાવકધર્મ) એ પૂર્ણ ધર્મ નથી, પણ આંશિક ધર્મ છે. ગૃહવાસમાં રહી જેટલો ધર્મ થાય તેટલર્જ પ્રશસ્ત બાકી ગૃહવાસ તે પાપમયજ છે. દાનાદિ ધર્મક્રિયાઓ કરવા માટે ગૃહસ્થાશ્રમમાં રહેવાનું નથી, પણ ચારિત્ર મેહનયના ઉદયે ગૃહવાસમાં રહેવું પડયું હોય તેને સ્થૂલ પાપથી બચવા માટે દાનાદિ ધર્મક્રિયાઓ અને શ્રાવકના વતનું પાલન વગેરે છે.
ગૃહસ્થાવાસ કરનારા છે માટે ગૃહીધર્મને ઉપદેશ છે પણ તે રાખજ જોઈએ અગર તેમાં જ કૃતાર્થ બની રહેવું જ જોઈએ એ એને અર્થ નથી. ભાવના તે શ્રાવકની સર્વથા હિંસાદિ પાપમય ગૃહવાસને ત્યાગ કરી પૂર્ણ ધર્મમય સર્વ વિરતિરૂપ નિરારંભી જીવનજ જીવવાની અહોનિશ હોવી જોઈએ.
'* *
*
* *
*
: *
-
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org