________________
૨૫૧ એક પૌષધ વ્રત કરવું, છેવટે બાર મહિનામાં મારે ૧-૨-૩૫–૧૦–૧૫ વગેરે પૌષધ કરવા એવી પ્રતિજ્ઞા લે તેને શ્રાવકનું અગીયારમું પૌષધ વ્રત કહેવાય છે.
(૧૨) બારમું અતિથિ વિભાગ વિતર- અતિથિ–જેને ધર્મસાધના માટે પર્વ દિવસ જેવું નિયત નથી પરંતુ જેઓ હંમેશ ચોવીસ કલાક ધર્મ પ્રવૃત્તિમય જીવન જીવે છે. તેવા ત્યાગી મહાવ્રતધારી સાધુઓને અતિથિ કહેવાય છે. આવા અતિથિને ગૃહસ્થ પિતાના માટે બનાવેલ કે લાવેલ ખાન-પાન-વસ્ત્ર–પાત્ર-ઔષધ વગેરેમાં સમ્યક્ વિભાગ કરે. અર્થાત તેમાંથી તેમને નિમંત્રણ કરી બેલાવી લાવી ભાવપૂર્વક દાન આપવું તેને અતિથિ સંવિભાગ વ્રત કહે છે.
અનાદીકાળથી જીવ સ્વાર્થવશ એમ સમજતો હતો કે મારી ચીજોને હું જ એક ભેગવું. હવે જિનશાસન પામી વિવેક જાગ્યું કે સ્વાર્થીપણું તો પશુઓમાં પણ સુલભ છે. આવા ઉત્તમ માનવ જીવનને પામી પુણ્યના ઉદયે મળેલી વિનશ્વર ચીજોને સુપાત્રમાં વિનિયોગ કરી કાંઈક સુકૃત હાંસલ કરું જેથી મારું ભવભ્રમણ અટકે.
જે શ્રાવકે આગલે દિવસે ઉપવાસ સહિત પૌષધ વ્રત કર્યો છે અને પારણે એકાસણું કરી ઉપાશ્રયે જઈ સાધુમુનિરાજને વિધિપૂર્વક નિમંત્રણ કરી પિતાના ઘેર લઈ જઈ ભાવપૂર્વક નિર્દોષ આહાર–પાણ, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે જરૂરી ચીજો દાનમાં દે તેને અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. હાલમાં સાધુ-સાધ્વી જેટલી ચીજો વહારે તેટલી જ શ્રાવક વાપરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org