________________
૨૫૦
મહિનામાં કે પખવાડિયામાં એક બે–ચાર વાર પણ રોકાય અને તે પૌષધના દિવસે ધર્મના શેષણને બદલે ધર્મનું પિષણ થાય તે માટે શ્રાવક આઠમ–ચૌદશ જેવી પર્વ તિથીઓની દિવસે ચાર પ્રકારનો પૌષધ કરે છે.
(૧) તે દિવસે બની શકે તો ચેવિહાર ઉપવાસ કે તિવિહાર ઉપવાસ કરે. ન બની શકે તો આંબીલ કે એકાસણુ કરે.
(૨) શરીરશેભાનો ત્યાગ કરે–તે દિવસે સ્નાન-વિલેપન, વાળ ઓળવા, દર્પણમાં મુખ જેવું વગેરે શરીરસત્કાર ન કરે અને આ શરીરસત્કારને ત્યાગ કરે તોજ શરીરની અશુરિશ ભાવનાને ભાવી શરીર મમત્વને કંઈક દૂર કરી શકે.
(૩) અવ્યાપાર –તે દિવસે સર્વથા વ્યાપાર – ધધ બંધ રાખે.
(૪) બ્રહ્મચર્યનું પાલન કરે.
તે દિવસે સવારે સૂર્યોદયથી માંડી બીજી સવારના લગભગ સૂર્યોદય સુધી ધર્મસ્થાનમાં રહી કિયા, જાપ, ધ્યાન, પઠન, પાઠન, વ્યાખ્યાન શ્રવણ, દેવવંદન વગેરે ધર્મક્રિયાઓમાં સમય વીતાવે. તે દિવસે કેઈપણ પાપની પ્રવૃત્તિ સ્વયં કરે નહિ, કરાવે નહિ, તે પણ મન-વચન અને કાયાથી. અનુમતિ તો પૂર્વે આરંભેલા પાપકાર્યોની શ્રાવકને બેઠી હોવાથી અનુમતિ નહિ રાખવાની પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણ) સામાન્યતઃ શ્રાવકને હોતી નથી. કારણ કે અનુમતિને ત્યાગ તથા પ્રકારના શ્રાવક માટે અશક્ય છે.
આ પૌષધ વ્રત પર્વ દિવસમાં કરવાનું શ્રાવકે માટે વિધાન છે. છતાં દરેક પર્વતિથીએ ન બની શકે તે મહિનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org