________________
૨૪૪
ક્યારે કરીશ? માટે મારે કોઈપણ હિસાબે પરિગ્રહનું પરિમાણ તે કરવું જ જોઈએ. જેથી પરિગ્રહની વૃત્તિ કંઈક કાબુમાં આવે અને કઈ સંતોષવૃત્તિ આવે.
આવું વિચારી શ્રાવક ધનધાન્યાદિ પરિગ્રહનું પરિમાણ નકકી કરી લે છે કે આજથી મારે આટલા–આટલા પરિગ્રહથી વધુ રાખવું નહિ. લીમીટથી વધી જાય તે ધર્મમાગે ખર કરી દે પણ મારે તેની પાઈ પણ રાખવી નહિ. રાખેલા જરૂરી લાગતી પરિગ્રહને પણ સુશ્રાવક પાપ સમજે છે. પરિગ્રહ તે ભવસમુદ્રમાં ડુબાડનારોજ છે. તેથી અપપણુ પરિગ્રહ પાપ છે. તેથી જ્યારે મારો એ ધન્ય દિવસ આવે કે હું સર્વથા પરિગ્રહરહિત નિગ્રંથ અણગાર બનું? આવી પ્રતિદિન હૃદયસ્પશી ભાવના ભાવતાં શ્રાવક પરિગ્રહની મમતાથી અલિપ્ત બનતો જાય છે.
(૬) દિફ પરિમાણ વ્રત –
આ વ્રત લેતાં શ્રાવક એવી ભાવના ભાવે છે કે અનંતઅનંતકાળથી હું આ ચૌદ રાજલોકમાં ભટકી રહ્યો છું. અને જીવના દુ:ખમાં, મૃત્યુમાં નિમિત્ત બની રહ્યો છું. હવે મારે આવા સુંદર જૈન શાસનની પ્રાપ્તિવાળા ઉત્તમ માનવભવમાં મારે મારું ભવ પરિભ્રમણ વધતું અટકાવવું હોય તો મારે હવે દુનિયામાં જ્યાં-ત્યાં ધનાદિની વાસનાવશ ભટકવાનું પરિ. મિત કરી દેવું જોઈએ. કે જેથી મારી પરિગ્રહની વાસના પણ કાબુમાં આવે અને જીવોને પણ થે ડુંક મારા તરફથી અભયદાન મળે, નહિતર ગૃહસ્થ એટલે લોઢાને તપેલો ગોળો જ્યાં જાય ત્યાં બાળે નહિ તે કાળું તો કરે જ. તેથી મિત્રત્યછના કલ્યાણાથે અને લેભપિશાચને વશ કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org