________________
૨૪૩
જીવન જીવવુ' તે મેાહમૂઢતા છે છતાં વિષયવાસનાવશ આજને આજ સર્વથા બ્રહ્મચર્ય વ્રતનું પાલન મારે માટે શક્ય નથી દેખાતું તેથી હું હમણાં જગતની સ્ત્રીએને માતા, અેન, પુત્રી સમાન સમજી હું મારી પરણેતર–વિવાહિત સ્ત્રીમાંજ સતાષી અનીશ.
અરે ! મારી સ્ત્રીમાં પણ ગાઢ આસક્તિને ત્યજીશ. ખાસ ગાઢ વેદના ઉદયે જ્યારે હું સહન કરવા શક્તિમાન નહિ હાઉ ત્યારેજ હું પ્રાયે મારી સ્ત્રીની પણ ઈચ્છા કરીશ. તે સિવાય કામવાસનાને રોકવા પૂર્ણ કોશીષ કરીશ. અને એજ સ્ત્રીના કલેવરની અપવિત્રતા, સ્પેસુખની ભ્રુગુપ્સનીયતા, સ્ત્રીસ્વભાવ વગેરેના વેરાગ્ય માટે વિચાર કરતા રહીશ. બ્રહ્મચારી સાધુમુનિરાજોના પ્રશ્નારાય ગુણેાની અનુમેદના-પ્રશ ંસા કરતા રહીશ આવી ભાવનાપૂર્વક પેાતાની પરણેતર સ્ત્રી સિવાય જગતની સ્ત્રીએના ભાગના પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા તેને શ્રાવકનુ સ્વઢારા સંતાષ વ્રત કહેવાય છે.
(૫) પરિગ્રહ પરિમાણ વ્રતઃ
આ વ્રત લેતાં શ્રાવક વિરાર કરે છે કે અનત અન ત કાળથી પરિગ્રહના પાપમાં ઘેરાયેલે છું જે વસ્તુઓ મારી નથી અને મારી થવાની નથી એવી જડ-ચેતન વસ્તુએને મેં મારી મારી કરી મારી અનાવી રાખવા મે કંઈ હિંસાદ્વિ પાપેા આજ સુધી ર્યાં. જેમ જેમ પરિગ્રહ વધતા જાય છે તેમ તેમ તૃષ્ણા અધિકને અધિક વધતી જાય છે. સાથે સાથે આરભસમારંભ પણ વધતા જાય છે. આવા ઉત્તમ જૈન માનવના અવતારે હું આવા બાહ્ય જડ-ધન વગેરે પદાર્થોનીજ ચિંતા અને સંભાળ કર્યા કરીશ તે આત્માની ચિંતા અને સભાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org