________________
૨૩૯
(૪) સ્વદારા સંતોષ વ્રત (પરસ્ત્રીના ત્યાગરૂ૫). (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત. (૬) દિ પરિમાણ વ્રત. (૭) ભેગપગ વિરમણ વ્રત. (૮) અનર્થદંડ વિરમણ વ્રત. (૯) સામાયિક વ્રત. (૧૦) દેશાવગાસિક વ્રત. (૧૧) પૌષધ વ્રત. (૧૨) અતીથિ સંવિભાગ વ્રત.
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
જગતના સમસ્ત નાના મોટા જીવો પ્રત્યે પૂર્ણ દયાળુ શ્રાવક એમ વિચારે છે કે મારે મન તે બધા જ સરખા અને રક્ષણ કરવા એગ્ય છે. મારે કઈપણ જીવની હિંસા કરવી જરાયે ઉચિત નથી. કેમકે વિધવત અનંતાનંત જીવો મારા આત્મ તુલ્ય છે. જેમ મને સુખ પ્રિય છે તેમ નાનામાં નાના જીવને પણ સુખ જ પ્રિય છે, જેમ મને દુઃખ અપ્રિય, મરણ અપ્રિય છે તેમ નાનામાં નાના જીવને પણ દુઃખ અને મરણ સર્વથા અપ્રિય છે તેથી મારે એવું જીવન જીવવું જોઈએ કે જેથી કોઈપણ નાના–મેટા જીવની હિંસા ન કરવી પડે, તેને જરાયે દુઃખ ન થાય. પણ હું અત્યારે ભેગ સુખને સર્વથા છોડી શકવા સમર્થ નથી અને ભેગ સુખનો સર્વથા ત્યાગ કર્યા વિના સંપૂર્ણ અહિંસક જીવન જીવી શકાય તેમ નથી.
જ્યાં ભેગ ત્યાં હિંસા ભેગ આરંભ–સમારંભ (જીવઘાતક પ્રવૃત્તિઓ, કર્યા વગર ભેગવાતા નથી. તેથી ભેગીને હિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org