________________
૨૩૮
જ નથી. નામ માત્રથી દેવ નહિ, નામ માત્રથી ગુરૂ નહિ, અને નામ માત્રથી ધર્મ નહિ. પણ દેવમાં દેવપણું, ગુરૂમાં ગુરૂપણું અને ધર્મમાં ધર્મપણું વાસ્તવમાં હોવું જોઈએ. નામથી સાકર હોય પણ મીઠાસ ન હોય તો શા કામની? નામથી દૂધ હોય પણ જે પીવાથી મનુષ્ય આંધળે બને તે દૂધ શા કામનું ? નામથી તો માતા હોય અને છોકરાનું ગળું દબાવી મારી નાંખે તો માતા શા કામની ? નામથી તો પાણી હોય પણ તૃષા ન શમાવે અને ઉપરથી તૃષા વધારે તો તે પાણી શા કામનું ?
જે દેવ-ગુરુધર્મની ઉપાસના વિષયની અસહ્ય તૃષાને શમા, દુર્ગતિઓથી રક્ષણ કરે, ક્ષમાદિ ગુણોથી જે આત્માને પોષે, પાપથી બચાવે, સાચે સુખી થવાનો રસ્તો બતાવે તે જ સાચા દેવ તેજ સાચા ગુરુ અને તે જ સાચે ધર્મ.
આવા શુદ્ધ દેવ-ગુરુ-ધર્મને જ મેક્ષાથે માને તેને સમકિત શ્રાવક કહેવાય છે.
આવા શ્રાવકની પ્રતિજ્ઞા હોય છે કે હું આવાજ શુદ્ધ દેવ–ગુરૂ-ધર્મને જ યાજજીવ માનીશ બીજા કુદેવ-કુગુરૂ અને કુધર્મને નહિજ માનું. આ દઢ સમક્તિધારી વિવેકી શ્રાવક પછી શ્રાવકનાં બારે વ્રત લે છે.
શ્રાવકનાં બાર વતાનું સ્વરૂપઃ(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org