________________
૨૩૭
અને તે પણ પરિગ્રહી, હું પણ હિંસાદિ પાપમાં ફસેલે છું અને તે પણ ફસેલા છે તો એવા ધમધનહીન દરિદ્રી મને ધર્મધનવા કેવી રીતે બનાવી શકવાના હતા? સ્વયં દરિદ્રી બીજાને ધનવાન કેવી રીતે બનાવી શકવાને હતો? સ્વયં બંધાયેલે બીજાના બંધને કેવી રીતે તેડવાને હતો? તેથી તેવા ભેગી, પરિગ્રહી સાધુઓ બીજાને શુદ્ધ ધર્મને ઉપદેશ પણ કેવી રીતે આપી શકવાના હતા? તેથી શ્રાવક નિષ્પાપી, સર્વથા ત્યાગી, નિસ્પૃહી, મહાવ્રતધારી સાધુઓને જ પોતાના ગુરુ તરીકે માની પૂજે છે, સેવા કરે છે, દર્શન-વંદન કરે છે.
સર્વજ્ઞકથિત ધર્મને જ માને છે –
જે ધર્મનું સ્વરૂપ ત્યાગપ્રધાન હોય, દયાપ્રધાન હોય, ઉપશમપ્રધાન હોય અને મોક્ષ સુધી પહોંચાડવા સમર્થ હોય તેને જ ધર્મ તરીકે માને છે. જે ધર્મનાં અનુષ્ઠાન કરવાથી દિન-પ્રતિદિન આત્માની અનાદીકાલીન મલીન વાસનાઓ ઘટતી જાય, રાગ–ષ મંદ પડતા જાય, વૈરાગ્ય અને મેક્ષ રુરિ તીવ્ર બનતી જાય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, ઈદ્રિયનિગ્રહ, મનઃસંયમ, બ્રારાદિ ગુણની વૃદ્ધિ થતી જાય, દેવગુરૂનું બહુમાન, ભક્તિ વધતાં જાય, છ પ્રતિ મૈત્રીભાવ, કરૂણાભાવ, પ્રમેદભાવ, માધ્યસ્થભાવ આવતો જાય, પરોપકારની ભાવના વધતી જાય, સ્વાર્થ ભૂલાતો જાય એજ સાચો ધર્મ અને એવી શુદ્ધ ધર્મની આરાધના – ઉપાસના જન્મ– જરા-મરણાદિ દુખેથી છૂટવાની ભાવનાથી જ કરવી જોઈએ.
આવા શુદ્ધ અહિંસામય, ત્યાગમય ધર્મનાં સ્વરૂપને પૂર્ણતયા સર્વજ્ઞ વિના કેઈ બતાવી શકતું નથી. તેથી ધર્મ સર્વજ્ઞ–વીતરાગ કથિત જોઈએ. ધર્મના નામ માત્રથી ધર્મ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org