SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ધ્યાન કરે, ધનાથી ધનનું ધ્યાન કરે ધર્માર્થી ધર્મનું જ્યારે મેક્ષાર્થી શુદ્ધ વીતરાગ સ્વરૂપી પરમાત્માનું ધ્યાન કરે એમાં નવું શું છે? બનવું છે વીતરાગી અને મનુષ્ય, ધ્યાન, જાપ, ઉપાસના સરા દેવની કરે તો તે વીતરાગી શી રીતે બનવાનો? તેથી શ્રાવક વીતરાગી સર્વજ્ઞ અને ધર્મતીર્થના સ્થાપક અને મોક્ષમાર્ગના દર્શક એવા તીર્થકરને-જિનેશ્વરને – અરિહંતને જ પિતાના ઈષ્ટ આરાધ્ય દેવ માની મોક્ષાથે તેની જ ઉપાસના કરે છે. સરગી પણ દેવ હોય તો આખુંયે જગત સરાગી તો છે, તો પછી મંદિરમાં પણ જવાની શી જરૂર છે? ઘરમાં, પડોશમાં, દુકાન પર, બજારમાં સર્વત્ર સરાગી દેવોથી તો સંસાર સદા વ્યાસજ છે. સર્વથા ત્યાગી ગુરઃ સંસારના બંધનરૂપ સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, માલ, મિલ્કત, ઘર, દુકાન વગેરે સંબંધને જીવનપર્યત ત્યાગ કરવાપૂર્વક સદ્દગુરૂની સમક્ષ જેણે પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદી સમ સ્ત પાપોને મન-વચન-કાયાથી આજીવન ત્યાગ કર્યો છે, અને સર્વથા અહિંસક જીવન, સત્યમય જીવન, અચૌર્યમય જીવન, બ્રહ્મચર્યમય જીવન અને અપરિગ્રહમય જીવન જીવે છે. એવા સર્વથા ત્યાગી, નિષ્પાપ જીવન જીવનારા સાધુપુરૂનેજ તે શ્રાવક પોતાના ઉપાસ્ય ગુરૂ માને છે. શ્રાવકના જીવનને આદર્શ સર્વથા ત્યાગી બનવાનું છે. તેથી તે હંમેશા સર્વથા ત્યાગી ગુરુનીજ ઉપાસના કરે છે. તે માને છે કે સ્વયં ભેગમાં, પાપમાં, પરિગ્રહમાં ફરેલા નામધારી સાધુઓ મારૂં શું ભલું કરવાના છે? હું પણ ભેગી અને તે પણ ભોગી, હું પણ પરિગ્રહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy