________________
૨૩૫
રહેઠાણની બહાર જતા નથી. બીડી, ચલમ, ગાંજો, ભાંગ વગેરે
વ્યસનથી સર્વથા દૂર રહેનારા હોય છે. એક પૈસો પણ પાસે રાખતા નથી. પોતાની હજારે કે લાખોની સંપત્તિઓને છોડીને પણ આ સાધુમાર્ગ સ્વીકારનારા હોય છે. રાત્રે ખાવાપીવાનું કંઈજ રાખતા નથી. બી.એ., એમ.એ., સી.એ., સુધીનું એજ્યુકેશન લીધેલા આત્માઓ પણ આ સાધુ માર્ગને વૈરાગ્યથી સ્વીકાર કરે છે. બાલબ્રહ્મચારીપણે પણ સાધુ બને છે. આ આજના કાળે પણ કડક તપ, સંયમ અને ત્યાગનું પાલન આજે પણ હજારો સાધુ-સાધ્વીઓ જૈન ધર્મમાં કરી રહેલા મેજુદ છે.
મધ્યસ્થ ગુણદષ્ટિ મનુષ્ય હોય તો એવા સાચા ત્યાગી - સાધુઓના દર્શને આજે પણ પુણ્યાત્માને મળી શકે છે. •
શ્રાવક ધમ
જૈન દર્શનમાં સમક્તિ (સમ્યગ દર્શન) એ ધર્મને પાયે છે. જૈન શ્રાવક પિતાના ઈષ્ટદેવનું સ્વરૂપ વીતરાગી સર્વજ્ઞ અને ત્રિભુવન પૂજ્ય માને છે. અર્થાત્ જે દેવમાં રાગદ્વેષ બિલકુલ ન હોય અર્થાત્ પૂર્ણ વીતરાગી હોય, પૂર્ણ જ્ઞાની હોય અને દેવ-દેવેન્દ્રોથી પૂજિત હોય તેને જ ઈષ્ટદેવ યા ભગવાન માને છે.
આવા ઉપાસક ઈષ્ટદેવ માનવાનું કારણ એ છે કે તે શ્રાવક સમજે છે કે મારે પણ શુદ્ધ બુદ્ધ મુક્ત બનવું છે તો મારે ધ્યાન, જાપ, દર્શન, પૂજન પણ તેવાજ શુદ્ધ, બુદ્ધ, મુક્ત પરમાત્માનાંજ કરવા જોઈએ. જેને જેવા બનવું હોય તેને તેજ આદર્શ આંખ સામે રાખવું જોઈએ. કામી કામિનીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org