________________
૨૩૪
બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન કરે છે. જૈન સાધુઓ ચોમાસા - સિવાય આઠ મહિના ગ્રામાનુગામ ફરે છે–વિહાર કરે છે. લોકમાં ઉપદેશ દ્વારા નૈતિક ઉત્થાન, ધાર્મિક ઉત્થાન, આધ્યાત્મિક ઉત્થાન કરી મહાન લોકપકાર કરે છે.
ત્યાગી બ્રહ્નચારી સાધુઓના ઉપદેશની અસર લેક ઉપર સારી ઉંડી પડે છે. આ સંક્ષેપમાં સાધુધર્મનું દિગ્દર્શન માત્ર કરાવ્યું છે બાકી સંપૂર્ણ સાધુધર્મનું વર્ણન કરતાં તો મેટા મેટા ગ્રંથ તૈયાર થાય. તેથી ગ્રંથગૌરવના ભયથી
માત્ર થોડુંક સાધુધર્મની જાણકારી માટે અહીં વર્ણન કર્યું છે. - જેન સાધુની ઓળખાણ – '
જેન સાધુ-સાધ્વી વેત વસ્ત્રધારી, ઓધો અને મુહપત્તિ રાખનાર, દંડ અને કામળી, કાષ્ટનાં પાત્ર રાખનારાં હોય છે. મુહપત્તિ હાથમાં રાખનાર બેલતી વખતે જ માત્ર મુખ આગળ રાખનાર વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ-સાધ્વીઓ હોય છે. કેટલાક સાધુ-સાધ્વીઓ તો એકલા ગરમ પાણીથી મહિના, દોઢ મહિના, બે મહિનાના લાગેટ ઉપવાસ પણ કરે છે. કેટલાક આખું વર્ષ, બે વર્ષ અને ત્રણ ત્રણ વર્ષ માટે ઘી, દૂધ, દહીં, તેલ, મરચું વગેરે છેડી દે છે. જૈન સાધુ-સાધ્વીઓનાં રહેઠાણ અલગ-અલગ હોય છે. કેટલાક તો જૈન સાધુઓ મહાન વિદ્વાન હોય છે. જૈન સાધુઓ શુદ્ધ ધર્મોપદેશ સિવાય સાંસારિક પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી.
જેન મંદિરમાં જઈ જ ભગવાન વીતરાગની સ્તુતિપ્રાર્થના ચૈત્યવંદન નમસ્કાર કરનારા હોય છે. પરમાત્માના નામને જાપ, ધ્યાન કરે છે. ખાસ ધર્મકાર્ય સિવાય પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org