________________
૨૩૩ તેઓ સદા તવારી, પાદવિહારી, કાષ્ઠનાં પાત્રા ધારણ કરનારા, રજોહરણ, મુહપત્તિ, (મુખવસ્ત્રિકા) ધારણ કરનારા ઉઘાડા પગે ચાલનારા હોય છે. તેઓ જીંદગી સુધી સ્નાન કરતાં નથી. પલંગ ઉપર કે ગાદલા ઉપર સુતા નથી. પોતાનાં વાળ વર્ષમાં બે વાર ખેંચી ઉખાડી નાંખે છે અર્થાત્ હજામત કરાવતા નથી. જૈન સાધુ ઘેર ઘેર ફરી ઉચ્ચ કુળમાંથી ૪૨ દેના ત્યાગપૂર્વક સંયમ નિર્વાહ માટે થોડો થોડો આહાર– પાણી લાવી જીવનનિર્વાહ કરે છે. ભિક્ષા મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તો તવૃદ્ધિ માનનારા હોય છે, પણ નહિ આપનારાઓની નિંદા અને આપનારાઓની પ્રશંસા કરનાર હતા નથી.
ઠંડી-ગરમી–ભૂખ-તરસ–અપમાન વગેરે ૨૨ કષ્ટોને (પરીસહાને) સમભાવે સહન કરનારા હોય છે. સદા ગુરૂઆશામાં રહી ધર્મશાને અભ્યાસ કરે છે. બીજાઓને કરાવે છે. અવસરે ઉપવાસરૂક્ષભેજન, એકાસણું વગેરે કરનારા હોય છે. એ એક જગ્યાએ બેસીને ભજન કરનારા હોય છે. પોતાની સામાચારીનું પાલન કરે છે. પરમાત્માનું ધ્યાન અને જાપ કરે છે. યોગ્ય વિદ્વાન સાધુઓ લોકોને ધર્મનો ઉપદેશ પણ ગામેગામ પગપાળા અને..ખુલે પગે ફરી ફરીને આપે છે. મુખ્ય વ્યવસાય જૈન સાધુઓનો શાસ્ત્ર સ્વાધ્યાય હાય છે અને ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, તપ, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ૧૦ સાધુધર્મનું નિત્ય પાલન કરે છે.
સ્ત્રીસંબંધથી જૈન સાધુઓ નિત્ય દુર રહે છે. તેથી જૈન સાધુઓને સ્ત્રી ચરણસ્પર્શ પણ કરી શકતી નથી. એકલી સ્ત્રી સાધુઓની વસ્તીમાં આવી શકતી નથી. જૈન સાધુ-સાધ્વીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org