SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સમારંભ ઉપાધી જાય, વિષય-કષાયની આધીનતારૂપ સંસારવાસથી કયારે છૂટીશ એ ચિંતા તેને અહર્નિશ રહ્યા કરે છે. અલ્પપાપને ત્યાગ, અલ્પ વિષયત્યાગ મનુષ્ય એટલા માટે કરે છે કે સર્વ પાપ અને સર્વ વિષયસુખ છેડવા જેવું છે, છતાં મારી ભેગાકાંક્ષા નિવૃત થઈ નથી તેથી આ સંસારવાસમાં રહેવું પડે તેમ છે. તેથી હાલ મારાથી સર્વથા પાપનો ત્યાગ અને વિષયનો ત્યાગ બની શકે તેમ નથી. પણ જ્યારે એવી શક્તિ મારામાં આવશે ત્યારે હું સર્વથા નિષ્પાપ અને વિષયત્યાગનું જીવન સ્વીકારીશ. સારાંશ એ છે કે અણુવ્રત પણ મહાવ્રતના ધ્યેયથી જ સ્વીકારે છે. તેથી અણુવ્રતમાં સાચે શ્રાવક કૃતકૃત્ય કે સંતુષ્ટ બની જઈ સાધુધર્મ સુધી પહોંચાડવાના પુરૂષાર્થને માંડી વાળતો નથી, પણ નિરંતર ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરવા, ચારિત્ર મોહનીયને તોડવા અહર્નિશ પ્રયત્નશીલ રહે છે. આથી એક વાત ફલિત થાય છે કે અંતિમ આત્મકલ્યાણ માટે જરૂરી સાધુધર્મજ છે. આમ અધિકારીવશાત્ ધર્મના બે ભેદ પાડવામાં આવ્યા છે. બાકી તો ધર્મ તેના સ્વરૂપમાં તો એક પ્રકારને જ છે. પણ બધા જ કંઈ સાધુધર્મ સ્વીકારી શકે તે શકય ન હોવાથી ભગવાન તીર્થકર શ્રાવકધર્મ પણ ફરમાવે છે. તેથી સાધુ તેમજ શ્રાવકના આચારમાં પણ મેટ ફરક રહે તે સ્વાભાવિક જ છે. સાધુ અને શ્રાવકના આચારોમાંજ માત્ર ફરક છે. બાકી ધ્યેય તો બંનેનું મોક્ષપ્રાપ્તિ એજ હોય છે. સિદ્ધાંતોની બાબતમાં પણ બંનેની એક સમાન માન્યતા હોય છે સાધુની જેમ શ્રાવક પણ ભગવાન તીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy