________________
૨૨૯ -xxx-x_xOwx3 છે જેન ધર્મના આચારોનું સ્વરૂપ FODENDID2X3NCID0X30XIDO
તીર્થકર ભગવતે બાર પર્ષદાની આગળ બે પ્રકારને ધર્મ બતાવે છે- (૧) સાધુ ધર્મ (૨) શ્રાવક ધર્મ.
સાધુધર્મ સર્વથા કંન– કામીનીના ત્યાગરૂપ અને સર્વથા હિસાદિ પાપોના ત્યાગરૂપ છે. જે મનુષ્ય સર્વ ત્યાગમય સાધુધર્મ સ્વીકારવા શક્તિમાન ન હોય તેને માટેજ શ્રાવકધર્મનું વિધાન છે. તેથી મુખ્ય ધર્મ સાધુધર્મજ છે. તેની અશક્તિમાંજ શ્રાવકધર્મ છે. કાંઈક અંશે થોડાક પણ પાપથી બચી શકાય અને કાંઈક આંશિક ત્યાગ કરતાં કરતાં અનુક્રમે સાધુધર્મની શક્તિ પ્રાપ્ત કરવા માટેના તાલીમ કેમ્પરૂપ છે. તાલીમ લેવાનું કાર્ય પૂર્ણ થાય એટલે સાધુજીવનમાં ભરતી થઈ મહામેહરૂપી રાજાના કટકની સામે મારા ઉપર વીરતાથી લડવા મેદાને પડવાનું છે. મુક્તિ સર્વ ત્યાગમય સાધુધર્મથીજ તારક તીર્થકરેએ કહી છે. શ્રાવકધર્મનું ગમે તેટલું ઉત્કૃષ્ટ આરાધન શ્રાવક કરે તો પણ વધુમાં વધું તે બારમા દેવલોક સુધી જ ઉંચે જઈ શકે, જ્યારે સાધુધર્મના ઉત્કૃષ્ટ આરાધનથી મોક્ષ સુધી પહોંચી સદા માટે અજર અમર બની અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિએને જોક્તા આત્મા બની શકે છે. - તેથી જૈન ધર્મમાં શ્રાવકનું લક્ષ્ય તે સાધુધર્મનું જ હોય છે. જ્યાં સુધી સાધુધર્મ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી શ્રાવક પિતાને મેહ લુંટારાથી લૂંટાયેલા માને અને સંસારવાસને જેલ માની તેમાં દુઃખે કરીને રહે, કયારે આ પાપમય, આરંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org