________________
૨૨૭
આવા અક્ષય સુખ–શાંતિવાળા મોક્ષને પ્રાપ્ત કરવા નશ્વર સુખ-સંપત્તિઓને મેહ છેડવો જરૂરી છે. શાશ્વતની માયા લાગી જાય તો નશ્વરની માયા છૂટી જતાં વાર ન લાગે. માનવભવમાંથી જ મેક્ષમાં જઈ શકાય છે. બીજી કોઈ પણ ગતિમાંથી સીધા મેક્ષમાં જઈ શકાતું નથી.
માનવભવરૂપી સ્ટેશને જ ધર્મરૂપી ગાડી મળે છે. તેમાં મોક્ષની ટીકીટ લઈ બેસી જાઓ તો તે ગાડી તમને સીધા મેજ લઈ જશે. ભલે પછી કે મોટા સ્ટેશને વચ્ચે કેલસાપાણી ભરવા તે ગાડી થોડી વખત ઉભી રહે, પણ પાછી કોલસા-પાણી ભરી રચાલવાવાળી છે. ભલે આજે પ્રથમ સંઘયણ વગેરેની સામગ્રી ન હોય. પણ વર્તમાન સંઘયણ દ્વારા જેટલી મંજીલ કાપીશું તેટલી આગળ ઓછી કાપવાની રહેશે. મુંબઈથી ઉપડેલી ગાડી ભલે એક દિવસમાં કલકત્તા ન પહોંચાડે પણ તે ગાડીમાં ટિકિટ લઈને બેઠેલા મનુષ્ય અવશ્ય ત્રણ દહાડે પણ પહોરાવાના. પણ જે મનુષ્ય ગાડીમાં ટિકિટ લઈને બેઠો જ નથી અને બેલ્યા કરે કે હું તો એ ગાડીમાં તો જ બેસવાને જે એ ગાડી મને એક જ દિવસમાં કલકત્તા પહોંચાડે. તો આવે કદાગ્રહી–અવ્યવહારૂ મનુષ્ય કલકત્તા કેવી રીતે પહોંચવાનો ? તેમ ભલે આજે આ રચાલુ મનુષ્ય ભવમાં પ્રથમ સંઘયણ વગેરે સામગ્રીના અભાવે સીધા મેક્ષમાં ન જઈ શકીએ પણ જેટલી ધર્મસાધના દ્વારા કર્મનો ક્ષય–પાપનો ક્ષય કરીશું તેટલું કામ આગળના ભામાં ઓછું કરવાનું રહેશે. ઘણા વર્ષોથી બંધ ઘર એક દિવસમાં બરાબર સાફ ન થાય તો પણ પ્રયત્ન ચાલું હશે તો બે-ત્રણ દિવસમાં અવશ્ય સાફ થવાનું જ છે. તેમ આત્મઘર પણ અનાદીકાળથી જન્મજન્મના કેઈ દુષ્ટ વાસનારૂપી કરારાઓથી વ્યાપ્ત થઈ ગયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org