________________
૨૨૬
શું મોક્ષતત્ત્વઃકર્મ સાથે આત્માને સંબંધ સર્વથા સદાકાળ માટે છૂટી જાય તેને મેક્ષ કહે છે.
અનાદિકાળથી આત્મા આઠે કર્મોથી બંધાયેલો હતો તે આત્માનું કર્મના બંધનથી મુક્ત થવું તેને મોક્ષ કહે છે. અથવા કર્મનાં આવરણો સર્વથા દૂર થવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થવું તેને મેક્ષ કહે છે. અથવા જે પૂર્વે આત્મિક જ્ઞાનાદિ ગુણે અપ્રગટ હતા તેને ગની સર્વોત્કૃષ્ટ આરાધના દ્વારા પ્રગટ કર્યા તે મોક્ષ. અથવા દેહાદિકનો આત્યંતિક વિયેગ તે મોક્ષ.
- હવે સર્વથા કર્મમુક્ત આત્માને અહિં કદી પણ જન્મજરા મરણ રેગ-શેકાદિ કો હતાં નથી. સદા અખંડ નિજાનંદની મસ્તી હોય છે. અનંતજ્ઞાન-દર્શન દ્વારા સારાયે લોક અલકને પ્રત્યક્ષ સમયે સમયે જાણે જુએ છે. અહિં સાદિ અનંત સ્થિતિ હોય છે અહિંથી કદાપી સંસારમાં પતન થતું નથી. શાશ્વત સુખ-શાંતિ હોય છે. સ્વાભાવિક આનંદ હોય છે. નથી અહિં કઈ પરાધીનતા, નથી ભૂખ, નથી તરસનું દુઃખ, નથી કઈ વાસના-વિકાર, નથી કોઈ ઈચ્છા, નથી કેઈ ભય. આવું અસલી સ્વરૂપ જીવનું છે. ગસાધના દ્વારા આવા અનંત સુખમય, આનંદમય, અનંત જ્ઞાનમય, અનંત શક્તિમય મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી શકાય તેમ છે. ભૂતકાળમાં અનંત આત્માઓ ઉત્કૃષ્ટ યોગસાધના દ્વારા આ સ્થાનને પામેલા સિદ્ધ શીલા ઉપર લેકાન્ત રહેલા છે. ઓછામાં ઓછે છ મહિને એક જીવ અવશ્ય આવા સ્વરૂપવાળા માસમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org