________________
૨૨૨
ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, અપ્રમાદ, અનિત્યાદિ ભાવનાઓ લાવવા વગેરે દ્વારા કર્મનો સંવર થાય છે. આ સંવરની પ્રવૃત્તિઓ દ્વારા અશુભ પાપકર્મો બંધાતા અટકી જાય છે.
યુક્તિથી વિચારીએ તો વસ્તુસ્થિતિ બરાબર લાગે કેમકે મિથ્યાત્વ–અવિરતિ–ષાય, પ્રમાદ, હિંસાદિ પ્રવૃત્તિઓ દ્વારા કર્મબંધન (પાપબંધન) થતું હતું. હવે તેને રોકવું હોય તે તેના પ્રતિપક્ષી સમ્યકત્વ વિરતિ, કેધાદિ નિગ્રહ, અપ્રમાદ અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રારાર્ય, અપરિગ્રહ વગેરે ધર્મસ્થાનોનું પાલન કરવું જ જોઈએ. જે હિંસાથી પાપ થાય છે તો તે પાપને રોકવા અહિંસાનું પાલન અને હિંસાનો ત્યાગ એજ જરૂરી છે નહિ કે હિંસા.
જે કપડું કાદવથી ખરડાયેલું છે તો તેને ધેવા સ્વચ્છ પાણી જોઈએ નહિ કે ન કાદવ.
જૈન દર્શનમાં આ સંવર તત્ત્વના પ૭ ભેદ છે.
૮ સમિતિ ગુપ્તિનું પાલન ૨૨ પરિસહ (સુધા, પિપાસાદિ ક કર્મક્ષયાથે
સહર્ષ સહવાં તે). ૧૦ યતિધર્મ– ક્ષમાદિ. ૧૨ અનિત્યાદિ બાર ભાવના. ૫ ચારિત્ર (સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર – વિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત). ૫૭ ભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org