________________
ર ર૧ *
* *
ઉત્તર- મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિઓને રોગ કહે છે.
પ્રશ્ન - પ્રમાદ કોને કહે છે?
ઉત્તર – આત્મકલ્યાણની પ્રવૃત્તિઓની ઉપેક્ષા કરી વિષય કષાયમાં મગ્ન રહેવું તેને પ્રમાદ કહે છે. આત્મકલ્યાણનું લક્ષ ભૂલી જવું તે પ્રમાદ. આ આશ્રવ તત્ત્વના જૈન દર્શનમાં ૪૨ ભેદ બતાવેલા છે.
પ અવત, ૫ પાંરા ઇન્દ્રિયોનો અસંયમ, ૪ કષાયને અનિગ્રહ, ૩ ત્રણ દંડ, ૨૫ કિયા (મન - વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ).
૬કુ સંવર તવ –
જે શાસ્ત્રવિહિત કલ્યાણ પ્રવૃત્તિઓ દ્વારા કર્મનું બંધન અટકે (કાય) તેને સંવર કહે છે.
આત્મારૂપી નાવડીમાં કાણાઓ દ્વારા પાણી વહી આવતું હતું તેથી નાવમાં પાણી આવતું અટકાવવા કાણાઓને બંધ કરવા તેને સંવર કહે છે.
ઘરનાં બારી બારણું ખુલ્લાં હતાં તે પવનથી ઉડી ઉડીને ધૂળ ઘરમાં ભરાતી હતી પણ બારી બારણાં બંધ કરી દેવાથી ધૂળ આવતી અટકી જાય છે તેમ આત્મારૂપી ઘરમાં આશ્રરૂપી બારી બારણા દ્વારા કર્મરૂપી ધૂળ મિથ્યાત્વાદિ પવનથી ઉડી ઉડીને આવતી હતી તેને સમ્યક્ત્વાદિ દ્વારા આવતી રોકવી તેને સંવર કહે છે. સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન, સમ્યગચારિત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org