________________
૨૧૯
અવિરતિ, કષાષ, ગ, પ્રમાદ, હિંસા, જુઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ, રાગ દ્વેષ, વિષયાસક્તિ વગેરે આશ્રવ છે. આ આશ્રરૂપી કયારાઓ દ્વારા આત્મારૂપી ખેતરમાં કર્મરૂપી પાણી વહી આવે છે અને તેથી કર્મને પાક ઉત્પન્ન થાય છે. જે આ કયારાઓજ બંધ કરી દેવામાં આવે તો આત્મારૂપી ખેતરમાં પાણી પહોંચે નહિ અને તેથી આપોઆપ આત્મારૂપી ખેતર સુકાવા માંડે.
આની શાસ્ત્રીય ભાષામાં વ્યાખ્યા આ પ્રમાણે થાયઃ
જે કારણો વડે આત્મામાં કર્મોનું ધસી આવવું–વહી આવવું થાય તેને આશ્રવ કહે છે. અથવા કર્મબંધના કારણોને આશ્રવ કહે છે.
પ્રત - મિથ્યાત્વ એટલે શું?
ઉત્તર- કુદેવ, કુગુરૂ અને કુધર્મને સુદેવ, સુગુરૂ, અને સુધર્મ માનવાં અને સુદેવ, સુગુરૂ અને સુધર્મને કુદેવ, કુગુરૂ અને કુધર્મ માનવાં. તત્ત્વને અતત્વ અને અતત્ત્વને તત્ત્વ માનવું તેને મિથ્યાત્વ કહે છે.
પ્રશ્ન – અવિરતિ એટલે શું ?
શુદ્ધ ઈરાદા સાથે પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદિ પાપોનો ત્યાગ ન કરે તેને અવિરતિ કહે છે.
જૈન દર્શનની આ સચોટ માન્યતા છે કે જ્યાં સુધી જીવ પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ ન કરે જ્યસુધી દિલમાં ઉંડે ઉંડે પાપની અપેક્ષા બની રહે છે. તેથી તે અપેક્ષાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org