SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ પાપના ઉદયે દુઃખ તે આવ્યું પણ તે દુઃખમાં પણ ભગવાનની ભક્તિ, જાપ, દાન, શીલ, તપ, ભાવધર્મ કરવાનું ચૂકતા નથી તેથી તેને તે પાપને ઉદય પણ પુણ્યબંધનું કારણ બને છે. જે પાપને ઉદય પુણ્યનું નિમિત્ત બને–પુણ્યબંધન કરાવે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. (૨) જે પાપના ઉદયે સેંકડો દુ-યાતનાઓ ભેગવતે હાય પણ ભગવાનનું નામ ન યાદ કરે, ધર્મને ન કરે, પણ ભાવિમાં નરકાદિ ભયંકર દુર્ગતિઓની પરંપરા સર્જાય તેવા નવા નવા હિંસાદિ પાપમાં રચ્યો પચ્ચે રહે તેને પાપાનુબંધી પાપવાળો કહે છે. જે પાપને ઉદય નવા પાપના અનુબંધનું નિમિત્ત બને તેને પાપાનુબંધી પાપ કહેવાય છે. દૃષ્ટાંતમાં કાલસૌકરિક કસાઈ, રાજગૃહીને દ્રમક વગેરે પ્રશ્ન:- પુણ્યાનુબંધી પાપ કેવી રીતે બંધાય ? 'ઉત્તર- સત્કાર્યો–ધર્મકાર્યો અવિધિથી કરે સત્કાર્યોની સાથે દુષ્ક પણ કરતો રહે. દેવપૂજા વગેરેમાં આશાતના વગેરે ન ટાળે તે પુણ્યાનુબંધી પાપ બંધાય છે. - પ્રશ્ન:- પાપાનુબંધી પાપ કેવી રીતે બંધાય ? " ઉત્તર:- હિંસાદિ પાપે રાચી માચીને કરે (ખૂબ રસ લઈને) પાપ કરીને પશ્ચાતાપ ન કરે, પાપને પાપ માને નહિ. એમાં શું થઈ ગયું ? નિરંતરે પાપ કર્મોમાં રક્ત રહેવાથી પાપાનુબંધી પાપ બંધાય છે. પાપાનુબંધી પુણ્યવાળાનું ભાવિ દુઃખમય–અંધકારમય છે. જે પુણ્યને વાટી ખાય અને નવું પુણ્ય બાંધે નહિ તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy