________________
૨૧૬ નવા-નવા હિંસાદિ પાપ, આરંભ-સમારંભો કરવાનું મન રહે, જે પુણ્યના ઉદય દ્વારા પુણ્યમાર્ગ (સત્કાર્યોને માર્ગ)જ બંધ થઈ જાય, દુગુણ વધે, બુદ્ધિ બગડે તે પાપાનુબંધી પુણ્યને તે દુરથીજ નમસ્કાર કરવા જેવું છે. પ્રતિ વાસુદેવે, વાસુદેવ આવા પુણ્યના હિસાબે મરીને અવશ્ય નરકમાં જાય છે. સુભૂમ અને બ્રહ્યદત્ત શકવતી આવા પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા સમજવા.
હ્યું પાપત:
હિંસા, જુઠ, ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, અભ્યાખ્યાન વગેરે પાપ કરવાથી જે અશુભ કર્મોનું ઉપાર્જન થાય છે તેને પાપ કહે છે. આ દુષ્કૃત્યો દ્વારા ઉપાર્જન કરેલા અશુભ કર્મના પગલોનો જ્યારે ઉદય થાય છે ત્યારે તે કરનારને વિવિધ દુ–કષ્ટ આપે છે. જેવાકે નરકગતિ–નરકાયુ, તિર્યરગતિ, રોગી શરીર, બેડોળ રૂપ, અપયશ, દુઃસ્વર, નીચ જાતિ, નીરા કુળ, અપમાન તિરસ્કાર થાય તેવું દૌર્ભાગ્ય, શરીરનો શીથીલ બાંધે, દરિદ્રતા, પરાધીનતા વગેરે દુઃખ આપે છે. આ અશુભ કર્મના ૮ર પ્રકાર છે. કરેલા પાપનું ફળ ઓછામાં ઓછું ૧૦ ગણું તો ભેગવવું જ પડે છે. પછી પાપ કરવામાં જે રસ–લગની તેમ તેમ ફળમાં વૃદ્ધિ થતી જાય છે.
આ પાપના પણ બે ભેદ છે. (૧) પુણ્યાનુબંધી પાપ (૨) પાપાનુબંધી પા૫
(૧) જે પાપના ઉદયે દુઃખ ભેગવતો હોય પણ બુદ્ધિ ધર્મની રહે, ધર્મ કરે, દેવ ગુરૂની સેવા ભુલે નહિ, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org