________________
૨૧૫
કીર્તિ વગેરે આપે છે. તેથી સારું અને સુંદર જોઈએ તેણે આવું શુભ કર્મ સત્કાર્યો દ્વારા ઉપાર્જન કરવું જોઈએ.
આ પુણ્ય પણ બે પ્રકારનું હોય છે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય (૨) પાપાનુબંધી પુણ્ય.
- (૧) જે સત્કાર્ય નિષ્કામ ભાવથી સમ્યગ જ્ઞાન વડે વિધિપૂર્વક કરવામાં આવે છે તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એટલે જે પુણ્યના ઉદયે સુખ-સામગ્રી મળવાની તેના સદુપયોગ દ્વારા તે નવું પુણ્ય ઉપાર્જન કરવાનો તેથી જે પુણ્યને ઉદય નવા પુણ્યના ઉપાર્જનને હેતુ બને તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. જેમ વસ્તુપાલ-તેજપાલનું પુણ્ય, શાલીભદ્રનું પુણ્ય.
(૨) જે સત્કાર્ય–સકામ ભૌતિક લાલસાથી) કરવાને આવે તેના દ્વારા જે પુણ્ય બંધાય તેને પાપાનુબંધી પુણ્ય કહે છે. એટલે જે પુણ્યના ઉદયે સુખ-સામગ્રી મળવાની તેનો ભેગવિલાસ પાછળ દુરૂપયેાગ હિંસાદિ પાપ કરવા પાછળ ઉપયોગ કરવા દ્વારા તે નવું પાપ ઉપાર્જન કરવાનો. તેથી તે ના પુણ્યનો ઉદય પાબંધનું કારણ બનવાનો. આવા પાપાનુબંધી પુણ્યવાળા જીવની બુદ્ધિ પ્રાયે નિર્મળ રહેતી નથી.
આવા પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળતા સુખે તે ઝેરના લાડવા જેવા છે. જે પુણ્યને ઉદય નવા પુણ્યબંધનું કારણ બને. જે પુણ્યના ઉદયમાં બુદ્ધિ નિર્મળ રહે, નવા-નવા સત્કાર્યો કરવાની ભાવનાએ ટકી રહે. તેજ સાચું પુણ્ય કહેવાય. બાકી જે પુણ્યના ઉદયે મળેલી ધન-સંપત્તિઓ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org