________________
૨૧૪
અનાદીકાલીન હોવાથી તેનો કઈ કર્તા નથી પણ તથા સ્વભાવથી અનાદીકાળથી છે. તેનો મૂળથી નાશ કઈ પણ કાળે થતો નથી માટે અનંત છે. માત્ર દ્રવ્યોની અવસ્થાએ (પર્યાયે) પલટાયા કરે એટલું જ.
૩નું પુણ્યતત્ત્વ
દેવસેવા, ગુરૂસેવા, દાન, શીલ, તપ, ભાવ, દયા, અહિંસાદિના પાલન દ્વારા આત્માએ જે શુભ કર્મોના પગલેને ગ્રહણ કર્યા તે ગ્રહણ કરેલા શુભ કર્મોના પુદગલોને પુણ્ય કહેવામાં આવે છે. આ શુભ પુદ્ગલ કરે પ્રકારે વહેચાયેલા હોય છે. અને દરેકનો સ્વભાવ ભિન્ન ભિન્ન પ્રકારે જીવને સુખ આપવાનો છે.
આ શુભ કર્મના પુગલને બાંધ્યા બાદ જ્યારે તેને અબાધાકાળ પૂરો થાય છે ત્યારે તે શુભ કર્મનાં પગલે પિતાનું ફળ બતાવવા ઉદયમાં આવે છે. આ શુભ કર્મના ઉદયથી જીવને ઇચ્છિત મનમાની સુખકારી સાધન–સામગ્રી પ્રાપ્ત થાય છે. આ શુભ કર્મ બાંધ્યા બાદ તુરત ઉદયમાં આવે એ નિયમ નથી. હા, ઉત્કૃષ્ટ શુભ ભાવથી જે શુભ કર્મ બાંધ્યું તે તુરતમાં પણ પિતાનું ફળ આપે છે, પણ સામાન્યથી આ ભવમાં–જન્મમાં કરેલું શુભ કર્મ કાલાંતરે–ભવાંતરે ફળ આપે છે.
આ ૪૨ પ્રકારનાં શુભ કર્મમાંથી કઈ કર્મ જીવને ઉડા ગતિ આપે છે, તો કેઈ ઉચ્ચ જાતિ, કુલમાં જન્મ આપે છે. કઈ વળી નિરોગી શરીર, દેવભવનું આયુષ્ય, મનુષ્યભવનું આયુષ્ય, કોઈ સુંદર રૂપવાન શરીર, દઢ શરીરને બાંધે, યશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org