________________
૨૧૩
પ્રશ્ન:- પ્રદેશ કેને કહે છે?
ઉત્તરઃ- વસ્તુને સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ કે જેના બે વિભાગ કેવળજ્ઞાની પણ જ્ઞાનથી જોઈ ન શકે તે અંશ. એ
જ્યાં સુધી સ્કંધ સાથે જોડાયેલો હોય ત્યાંસુધી પ્રદેશ કહેવાય. અને સ્કંધથી તદ્દન અલગ પડી જાય ત્યારે તેને જ પરમાણુ કહેવાય છે. પરમાણુ માત્ર પુદગલ દ્રવ્યને જ હોય, તેનાજ પરમાણુઓ સ્કંધથી બિલકુલ અલગ પડી શકે છે. બાકીના કાળ સિવાયને ૪ દ્રવ્યને પરમાણુ ન હોય. કેમકે જ્યારે ત્યારે તે જ દ્રવ્ય અખંડ–અનાદિ અનંત હોય છે. તેથી તેમાંથી કેઈ કાળે ૧ પ્રદેશ પણ તેથી છૂટો પાડી શકાતો નથી અને પડતો નથી.
પ્રશ્ન- અસ્તિકાય એટલે શું?
અતિ = પ્રદેશ, કાય = સમુહ. જે દ્રવ્યોને પ્રદેશને સમુહ હોય તેને અસ્તિકાય કહેવાય છે. અને કાળને પ્રદેશને સમુહ નથી તો તેને અસ્તિકાય કહેવાતું નથી. કાળ તે
જ્યારે ત્યારે એક સમયરૂપજ વર્તમાનમાં પ્રાપ્ત થાય છે. ભૂતકાલીન સમયે નષ્ટ થઈ ગયેલા છે. અને ભાવિ સમો વર્તમાનમાં અનુત્પન્ન છે. તેથી કાળ જ્યારે ત્યારે એક વર્તમાન સમયરૂપજ પ્રાપ્ત થાય છે.
આમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ આ પાંચ અજીવ દ્રવ્યનું સ્વરૂપ જોયું. તે પાંચમાં જીવ દ્રવ્ય ઉમેરીએ એટલે છ દ્રવ્યો થાય. બસ, વિશ્વ આ છ દ્રવ્યમયજ છે. તેનાં દ્રવ્યો અનાદી-અનંત છે, ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળા છે. આ છ દ્રવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org