________________
૨૧૦
અને છૂટા પડવુ' એ સ્વભાવવાળું છે. પુગલે પરસ્પર ભેગા થાય છે અને છૂટા પડે છે. જેમ શરીર, ઘર, દુકાન વગેરે. અને રૂપ, રસ, ગંધ સ્પશ ગુણવાળું છે. જીવાના સુખ, દુઃખમાં જીવિત–મરણ વગેરેમાં નિમિત્ત અનવાવાળું છે. તેને પુદ્ગલાસ્તિકાય કહે છે. સંસારી જીવેાની સાથે આ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી સંબંધવાળુ છે. શરીરરૂપે, વાણીરૂપે, મનરૂપે, કમરૂપે, શ્વાસેાશ્વાસરૂપે, પુણ્યપાપ વગેરે રૂપે જીવના સબધમાં આવે છે. વિભાવ પરિણમન ફક્ત જીવ અને પુદ્ગલ દ્રવ્ય વચ્ચેજ હેાય છે.
જુદા જુદા સ્વભાવવાળા પદાર્થોનું ક્ષીર-નીરની પેઠે ભેગા થવું તેને વિભાવ-પરિણમન કહે છે. જેમ જીવ પુદ્ગલ રૂપે પરિણમે છે અને પુદ્ગલ જીવરૂપે પરિણમે છે.
આ જીવનું અને પુદ્ગલનું પરસ્પર પરિણમન દૂધ અને પાણી જેવુ છે. દૂધમાં પાણી એકમેક જેવુ' થઇને રહે છે તેમ અનાદિકાળથી જીવ અને પુદ્ગલ પણ ક્ષીર–નીરની જેમ એકમેક થઇને રહેલા છે. છતાં નિશ્ચયનયથી કોઇ ક્રૂ અન્ય દ્રવ્યરૂપ બની જતુ નથી. નહિંતર જીવનું અજીવરૂપે પરિણમન થાય અને અજીવનું જીવરૂપે પરિણમન થાય તેા જડ-ચેતન પદાર્થોની સ્વતંત્ર વ્યવસ્થા ન રહે. આ વિભાવ પરિણમન માત્ર જીવ અને પુદ્ગલની વચ્ચેજ છે. બાકીના ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યેાનુ' વિભાવ પરિણમન નથી.
પુદ્ગલાસ્તિકાય એ ભાગમાં વહેંચાયેલું છે. (૧) અણુરૂપે (ર) સ્કંધરૂપે.
જેના બે વિભાગ ન થઈ શકે તેને અણુ સંજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org