________________
૨૦૫
બીજું છવ પરિણામી નિત્ય છે. પણ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય નથી. એકાંતે નિત્ય આત્મા બધિ અવસ્થાને છેડી મેક્ષ અવસ્થા પ્રાપ્ત કરી શકે નહિ. તેથી મોક્ષ પ્રાપ્તિ ન થાય. અને એકાંતે અનિત્ય હાય તો જીવન નાશ થઈ ગયા પછી મેક્ષ પ્રાપ્તિ કેને? તેથી જીવતત્ત્વનું સ્વરૂપ પરિણમી નિત્ય માનવાથી જ બંધ–ક્ષની વ્યવસ્થા, સુખ-દુઃખની વ્યવસ્થા, પરલેકની વ્યવસ્થા ઘટી શકે છે. પિતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય તે તે અવસ્થાઓને પ્રાપ્ત કરવી અને છોડવી તેનું નામ પરિણમી નિત્યત્વ છે. આત્મા જે પૂર્વે બંધના પરિણામે હતો તે જ આત્મા હવે મોક્ષના પરિણામે (અવસ્થાએ) ઉત્પન્ન થયે. પૂર્વે જે આત્મા દુઃખી હતો તે જ આત્મા હવે સુખી બન્યું. પૂર્વે જે સંસારી હતિ તેજ હવે મુક્ત બન્યા, પણ બીજો નહીં.
આ બધું કયારે બને કે આત્માનું સ્વરૂપ પરિણામી નિત્ય માનવામાં આવે તો. માટીનો પિંડ પરિણામી છે તે તેમાંથી સ્થાસ, કેશ કુશુલ-કપાલ ઘટ વગેરે બની શકે છે. જે સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય હોય તો તે માટીના પિંડમાંથી તે તે પરિણામો ઉત્પન્ન ન થાય. એટલા માટે મૂળ સ્વરૂપ છોડ્યા વગર તે તે રૂપે ઉત્પન્ન થાય છે. જે માટી પૂર્વે પીંડરૂપ હતી તે જ માટી અત્યારે ઘડારૂપ બની. નહિ કે કોઈ બીજી વસ્તુ.
જૈન દશન જીવને કમને કર્તા-ભેસ્તા માને છે. શુભાશુભ કર્મોને તે તે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા જીવ સ્વયં કર્તા છે. જેમ કુંભાર તે તે ચક, ચીવર, દંડ, પાણી, માટી વગેરે સાધન દ્વારા ઘટન કર્તા છે, તેમ જીવ પણ મિથ્યાત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org