________________
૨૦૪
શકે તેથી જીવના સ્વરૂપને તાત્વિક અને ઉડે વિચાર કરે પ્રથમ અત્યંતાવશ્યક છે. જીવનું લક્ષણ “ચેતના જાવઃ ” ચેતના (જ્ઞાન) એ જીવનું લક્ષણ છે (સ્વરૂપ છે) પ્રધાન–પરમ ગુણ એ વસ્તુનું ઢક્ષણ બની શકે છે. જે અસાધારણ ગુણ દ્વારા વસ્તુનું જ્ઞાન થાય, વસ્તુ ઓળખાય, વસ્તુનો પરિચય થાય તેને વસ્તુનું લક્ષણ કહે છે. જોકે વસ્તુમાં બીજા અનેક ધર્મો વિદ્યમાન હોય છે પણ તે બધી વસ્તુનું લક્ષણ બનતા નથી. કારણકે સત્વ, પ્રમેયત્વ, વસ્તુત્વ અમૂર્તાવ વગેરે કેટલાક ગુણે તે બીજી જડ વસ્તુઓમાં પણ રહે છે. તેથી સત્વ, પ્રમેયત્વ, કે વસ્તુત્વને જીવનું લક્ષણ બનાવવા જતાં તે લક્ષણ અતિ વ્યાપિત દોષથી દૂષિત બની જાય છે.
લક્ષણ એનું નામ કે જે પિતાના લક્ષ્યને છેડીને બીજે કયાંયે ન રહે. તેથી જીવનું લક્ષણ ચેતના (જ્ઞાન) એ જીવમાં જ રહે છે. અને તેના દ્વારા જીવની તરતજ ઓળખાણ થાય છે. ચેતના (જ્ઞાન) એ જીવને સહભાવી શાશ્વત ગુણ છે. તેથી ચેતના અને જીવ કથંચિત અભિન્ન છે. ચેતના એ થંરિપત્ એટલા માટે કે “આ જીવની ચેતના છે એ પ્રમાણે વ્યવહાર થાય છે. બાકી તો ચેતના એ જીવનું સ્વરૂપ હાવાથી સ્વરૂપ અને સ્વરૂપી અલગ-અલગ રહી શકતાંજ નથી. તેથી જૈન દર્શન મતે જીવ પિતાના જ્ઞાનાદિ ગુણેથી કથંચિત્ ભિન્નભિન્ન છે. સર્વથા જીવથી જ્ઞાન જુદું હોય તો અંધના હાથમાં દીપકની જેમ તે સ્વયં જાણ જોઈ શકે નહિ. અને સર્વથા અભેદ હોય તો “આ જીવ અને “આ એનું જ્ઞાન એ વ્યવહાર ન થઈ શકે. ગુણ-ગુણનો ભેદ ન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org