________________
અને સાધુઓએ આ ધર્મતીર્થને ટકાવી આપણા સુધી હાઈ આવ્યા. આ ત્યાગી આચાર્યો અને સાધુઓ ભવભીરૂ હોવાથી તીર્થકર દેના સિદ્ધાંતોમાં પિતાની મન:કલ્પનાથી લેશમાત્ર પણ ફેરફાર કરતા નથી. તેથી જ અણીશુદ્ધ આ જૈન શાસન આજે આપણને મહાન પુણ્યના ઉદયે પ્રાપ્ત થયું છે.
જે આચાર-વિચાર અને સિદ્ધાંત મેક્ષના સ્વરૂપને અનુકુળ હેય તેજ વાસ્તવમાં મેક્ષને ઉપાય કહેવાય.
મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના ઉપાયે તત્ર વિરુદ્ધ હાઈ * શકે જ નહિ. તીર્થકર દેવે જાતિએ ક્ષત્રિય રાજવંશી હાય છે. તેમના ગણધરો–શિષ્ય ગમે તે જ્ઞાતિના કે કોમના હોઈ શકે છે. (એટલે કે વણિક જાતિના હેય એ નિયમ નહીં) ગમે તે મનુષ્ય આ જૈન ધર્મને સ્વીકાર કરી શકે છે. કારણું તીર્થકર દેવો આખા વિશ્વના કલ્યાણ માટે હતા અને જગતના કલ્યાણ માટે જ તેમણે આ સત્ય ધર્મ બતાવેલ છે. તેથી જૈન ધર્મ એ કંઈ સાંપ્રદાયિક ધર્મ નથી. એ કઈ કેમજ્ઞાતિ કે દેશ માટે નિયત નથી તે તો કોઈપણ જ્ઞાતિના કોમના કે દેશના મનુષ્ય માટે આત્મ કલ્યાણ માટે ખુલ્લું છે.
પ્રશ્ન: જૈન ધર્મ ઈશ્વરમાં નથી માનતો તે વાત સાચી?
ઉત્તરઃ જે જૈન ધર્મ ઈશ્વરમાં કે પરમાત્મામાં માનતો ન હોત તો ભારતભરમાં હજારોની સંખ્યામાં વિશાળકાય ગગનચુંબી શિલ્પમય હજારો વર્ષ પુરાણાં જૈન મંદિરે ન હેત. અને હર સાલ જેને લાખો અને કરોડો રૂપિયા આ મંદિર અને મૂર્તિઓ પાછળ ખર્ચે છે તે ન ખર્ચત. રોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org