SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આપે છે. દિવ્ય ઉપદેશ સાંભળીને અનેક જીવો ધર્મસન્મુખ બનીને મોક્ષમાર્ગની આરાધના કરી એ જન્મ-મરણથી મુક્ત થઈને અનંત સુખમય મોક્ષમાં પહોંચી જાય છે. તીર્થકર ભગવાન દેવ રરિાત સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ સ્યાદ્વાદશૈલીથી જીવજીવાદિ નવતાને પ્રકાશ કરે છે. અને તેમાં જડચેતનના ભેદને સમજાવે છે. અને હેય અને ઉપાદેયને વિવેક સમજાવે છે. પાપ, આશ્રવ અને બંધ આ ત્રણ તોનો ત્યાગ કરી પુણ્ય (પુણ્યાનુબંધી) સંવર અને નિર્જરા અને મેક્ષ તત્ત્વની આરાધના કરવાનું ફરમાવે છે. તેઓ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સાધુ-સાધ્વીને પાળવાના ધર્મને સાધુ પ્રેમ કહેવામાં આવે છે. અને શ્રાવક-શ્રાવિકાને પાળવાના ધર્મને શ્રાવક ધર્મ કહેવામાં આવે છે. જૈન ધર્મની પરિભાષામાં કહીએ તો સાધુ ધર્મને સર્વવિરતી ધર્મ કહેવાય છે. અને શ્રાવક ધર્મને દેશ વિરતી ધર્મ કહેવાય છે. આ બંને પ્રકારના ધર્મના સ્વરૂને તીર્થંકર પરમાત્મા બહુ વિસ્તારથી સમજાવે છે. આ તીર્થકર દેએ જે ધર્મ તીર્થની સ્થાપના કરી તેનું કાર્ય એ છે કે જીવને પાપથી છોડાવવા અને પાપોથી છેડાવી શુદ્ધ ધર્મમાં જોડવા અને જોડાયેલાઓને બનતી સહાય કરી ધર્મમાં સ્થિર કરવાં અને એ રીતે એમને ભવસાગરથી– . જન્મ-મરણથી મુક્ત કરી અનંત જ્ઞાનમય, અનંત સુખમય, અનંત આનંદમય એવા મોક્ષમાં પહોંચાડવા આ તીર્થકર દેવના શિષ્ય (આચાર્યો, વિગેરે તીર્થકરના નિર્વાણ બાદ આ ધર્મતીથની રક્ષા અને પ્રભાવના કરવાની જવાબદારી પિતાના શિર ઉપર લે છે. અને તે જવાબદારી પિતાની સર્વ શક્તિ ખચીને પણ પાર પાડે છે. અને આ રીતે ત્યાગી આચાર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy