________________
૨૦૦
પરવશ મનુષ્ય–ભુતાવિષ્ટ મનુષ્ય કંઈ ભાંગફોડ અપરાધ કરે છે તો તેના પ્રત્યે લેકો કહે છે કે તે બીચારાને શે દેષ છે? પેલું અંદર રહેલું ભુત-વ્યંતર આ બધું તોફાન તેની પાસે કરાવે છે. તેમ દુષ્ટ કર્મોરૂપી ભૂતજ જીવે પાસે અનિચ્છનીય પાપ–દુષ્કૃત્ય કરાવે છે. તેથી તેના પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખ ઉચિત છે. હશે ! તેને પણ સદ્બુદ્ધિ પ્રાપ્ત થાઓ ! તે પણ એક દિવસ જરૂર સુધરશે. નાહક તેની નિંદા, લઘુતા, તિરસ્કાર કરવાથી તે તે વધુ બગડશે. તમારે શત્રુ બનશે. તેના કરતાં તેના માટે કાલક્ષે૫ કરે તેના દોષની ઉપેક્ષા કરવી એજ સજજન પુરૂષનું કામ છે. સાચે ધમી દુષ્ટમાં દુષ્ટ મનુષ્યની પણ નિંદા કરતું નથી.
આ રીતે અનિત્યાદિ ૧૨ ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ એ આત્માને પુણ્યથી અને સંવેગ–બૈરાગ્યથી પુષ્ટ કરનારૂં કિંમતી રસાયણ છે. આ રસાયણને જે ભવ્ય આત્મા ભાવથી નિરંતર ખાશે તે જરૂર એકને એક દિન અનંત જ્ઞાનાદિ ગુણેથી પુષ્ટ બની પરમપદને પ્રાપ્ત કરશે.
માના મા રાશીની' ઉત્તમ ભાવનાઓના ચિંતનથી અનંત દુઃખમય ભવને શિઘ અંત આવે છે. જેના હૈયામાં આવી આવી ઉત્તમ ભાવનાઓ રમતી નથી તેના ધર્મીપણુમાં સંશય છે એમ નિશ્ચિત સમજવું.
*
Tri
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org