________________
૧૯૯
જીને પાપરહિત–સગુણ, સદાચારી ધમી બનાવવાની ભાવના તે પણ કરૂણું ભાવના છે.
કયારે બધા જ સદાચારી, ધમ બનશે ? કયારે આ વિશ્વવત જ પાપરૂપી પિશાચોથી મુક્ત બનશે? કારણકે દુઃખ, દારિદ્રતા, રોગ વગેરે પાપોથી અને દુરાચારથી જ ઉત્પન્ન થાય છે. તેથી પાપોથી દુરાચારોથી જીવો મુક્ત બને તો દુ:ખોથી સ્વયં મુક્ત બની શકે છે. તેથી દુરાચારીને દુરાચાર મુકાવ, પાપીનું પા૫ મુકાવવું, માંસાહારીનું માંસ છેડાવવું, શરાબીનો શરાબ છેડાવ, ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચાર છોડાવ, ક્રાધીને ક્રોધ છોડાવ, અનીતિખેરની અનીતિ છોડાવવી, લેમીને લેભ છોડાવ, સ્વાર્થીને સ્વાર્થ છોડાવ વગેરે પણ મહાકરૂણા છે. અને આ મહાન કાર્ય સાધુસંતો કરે છે. તેથી સાધુ-સંતોને વિશ્વના જીવે ઉપર અમાપ ઉપકાર છે.
માધ્યસ્થ ભાવના – 'परदोषोपेक्षेपेक्षा'
અત્યંત પાપી, ઉપદેશને અગ્ય જીવોની ઉપેક્ષા કરવી તેમના પ્રત્યે ન રાગ કે ન ષ તેનું નામ માધ્યસ્થ ભાવના છે.
જેમ પિતાના ઘરમાં કઈ વધારે બિમાર હોય છે તો તેના તરફ તમારે શે ભાવ રહે છે? તેમ વધારે પાપથી– કર્મોથી બિમાર પડેલા જીવો પ્રત્યે તમારી કદાચ સહાનુભૂતિ ન રહી શકે તે ઓછામાં ઓછી તેની નિંદા–તિરસ્કાર તે નજ કરે. આટલું તે ઉદાર–વિશાળ દીલ તમારે રાખવું જ જોઈએને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org