________________
૧૯૬
જીવનને નષ્ટ કરી સુખશાંતિની ચાહના-ઈચ્છા કરે છે તે તે પાગલ છે. કદાપી તેની તે ઈચ્છા પૂર્ણ થવાની નથી. તમારે બીજાને દુઃખ-અશાંતિ આપવી છે અને તમારે જગત પાસેથી સુખ-શાંતિ લેવી છે. તે બેહુદી વાત કદાપી બનવાની નથી.
જે તમારે સુખ શાંતિની જ ઈચ્છા છે તો તમે બીજાને સુખ શાંતિનું દાન કરે. તેમનાં દુઃખોની નિરંતર ચિંતા કરો. હદયમાં તેમના પ્રત્યે પ્રેમ રાખે. પછી જુઓ કે જીવન કેવું દેવી–સ્વગય બની જાય છે !
પ્રમોદ ભાવના - “વહુલ સુદિ મુરિતા'
બીજા જીવોનું સુખ-સમૃદ્ધિ-આબાદી ગુણે જઈ ખૂશ થવું–આનંદ પામે તેનું નામ છે “પ્રીમદ ભાવના'.
ચાલે ! સુખી છે–આબાદ છે તો મારો ભાઈ છેને! મારે પડોશી છે ને ! મારે બંધુ છે ને મારો સાધર્મિક બંધુ છેને! છેવટે મારો દેશબંધુ-વિશ્વબંધુ તે છેને? અને તેઓ અને હું કયાં જુદા છીએ ? તેથી તે સુખી-સમૃદ્ધ તો હું જ સુખી સમૃદ્ધને ! તેના પુણ્યના ઉદયે તે સુખી છે, સમૃદ્ધ છે તો મારે તો તે પુણ્યશાળીના પુણ્યની અનુમોદના કરવી જોઈએ કે તે ગત જન્મમાં સારૂં સુકૃત કરીને આવે છે. ધન્ય છે તેને ! કદાપી કેઈનું સુખ, સારી સુંદર પત્ની સાથે બંગલો, સારા પુત્રો, માન-યશ-પ્રતિષ્ઠા-સત્તા દેખી તેની ઈર્ષા અદેખાઈ તો નજ કરવી. બીજાના સુખની અદેખાઈ ઈર્ષા કરવાથી ઈર્ષાદિ કરનારનું પુણ્ય બળી જાય છે. તેના સત્કાર્યો બળીને ભસ્મીભૂત બની જાય છે. તેના હૃદયમાં કદાપી શાંતિ હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org