________________
૧૮૭
અશરણ ભાવના –
ભૂખથી પીડાયેલે ભેજનને આશરો શેધે છે, તરસથી પીડાયેલે ઠંડા પાણીનો આશરો શોધે છે, રોગથી પીડાયેલ વૈદ્ય-ડોકટરનો આશરો શોધે છે, ભયથી પીડાયેલે પિલીસને આશરે શોધે છે કામથી પીડાયેલો સ્ત્રીનો આશરો શોધે છે પણ અનંતકાળથી જન્મમરણથી પીડાયેલાએ કોનો આશરો શોધો તેનો પણ હવે આ ઉત્તમ માનવ દેહે વિચાર કરવો પડશેને? કોઈ દશ્ય વસ્તુતો એવી દેખાતી નથી કે જેના આશરે-શરણે જવાથી ભયંકર શત્રુઓથી રક્ષણ મળે!
છે તો હવે આ અનંતજ્ઞાનીઓએ પિતાના દિવ્ય નયનથી જોઈ જે ઉપાય જગતના જીવોના કલ્યાણાર્થે બતાવ્યો છે તેનાજ શરણે જવું રહ્યું. તે અનન્ય ઉપાય છે વીતરાગ કથિત ધર્મ-અહિંસા-સંયમ-ત૫.
બસ, આ ત્રિપુટીરૂપ ધર્મનાં શરણે જઈએ તે અચૂક જન્મ–જરા-મરણથી સદાકાળ શરણ મળે છે.
સંસાર ભાવનાઃ
હે જીવ! આ સંસારની વિષમતા તો જે કે અનાદિકાળથી ભિન્ન ભિન્ન યોનીઓમાં ભટકતાં કોઈવાર રાજા થયો તો કોઈવાર રંક થયો, કેઈવાર શ્રીમંત તો કઈવાર ભિખારી, કેઈવાર પંડિત તો કોઈવાર મૂખ, કઈવાર સત્તાધીશ તો કોઈવાર ગુલામ, કોઈવાર સુરૂપ તે કઈવાર કુરૂપ, કોઈવાર દેવ તો કઈવાર મનુષ્ય, કોઈવાર પુરૂષ તો કઈવાર સ્ત્રી, કેઈવાર સ્ત્રી તો કઈવાર નપુંસક, કેઈવાર પશુપંખી તો કઈવાર નારક, કેઇવાર પંચેદ્રિય તો કઈવાર એકેદ્રિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org