________________
૧૮૫
મુસાફરને આનંદ થતો જાય છે કે હું હવે આ મુંબઈ પહે
ચ્યો. તેમ યોગની સાધનામાં યોગસાધક જેમ જેમ પ્રગતિ કરતો જાય તેમ તેમ તેને પણ પ્રતીતિ થવી જોઈએ કે હું હવે મારા ઘર મોક્ષનગર ભણી જઈ રહ્યો છું.
પ્રઝનર- મોક્ષ તરફ પ્રયાણ થઈ રહ્યું છે તેની ખબર કેમ પડે?
મક્ષ શું છે? કષાય-મુક્તિ-રાગષથી સર્વથા પર થવું તે. તેથી જેમ જેમ રાગષને ક્ષય થતો જાય તેમ તેમ સમજવું કે હું મેક્ષની તરફ જઈ રહ્યો છું. વિષય ભોગમાં આનંદ મંદ પડતો જાય, પાપની પ્રવૃત્તિમાં રસ ન આવે, સંતોષવૃત્તિ આવતી જાય, જો પ્રત્યે મૈત્રીભાવ, કરૂણાભાવ વધતો જાય, દેવગુરૂ પ્રત્યે સમર્પણભાવ વધતો જાય, તેનું નામ યોગમાં પ્રગતિ, તેનું નામ મોક્ષ તરફનું પ્રયાણ
યોગસાધનાનો નિષ્કર્ષ એ છે કે સાધકે આત્માને કેન્દ્ર સ્થાને રાખી તેને (આત્માને) ગુણ થાય, દોષ ન થાય તેવું માનસિક, વાચિક કે કાચિક વર્તન કરવું.
જૈન દર્શનમાં યોગના વિષય ઉપર અનેક ગ્રંથ છે જેવાકે યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, યોગવિંશિકા, યોગશતક, અધ્યાત્મ સાર વિગેરે.
અહિતો માત્ર બધાના સારરૂપ અતિ સંક્ષેપમાં યોગનું સ્વરૂપ, યોગના પ્રકાર, યોગસિદ્ધિનાં સાધન, યોગનો અધિકારી કોણ? વિગેરેનું દિગ્દર્શન કરાવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે તે યોગ વિષયક ગ્રંથ જેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org