________________
૧૮૪
હોય છે કઈ છે ગત ભવમાં સાધના કરીને આવેલા હોય, કઈ જીવો અનેક જન્મોથી યોગસાધના કરતા કરતા આવેલા હોય, તેથી અભ્યાસના તારતમ્યથી યોગીએ આગળ પાછળ સાધનામાં હોય છે.
પ્રશ્ન - યોગ પ્રવૃત્તિમય છે કે નિવૃત્તિમય?
યોગ નિવૃત્તિમય પણ છે અને પ્રવૃત્તિમય પણ છે. યોગસાધનામાં બે પ્રકારનાં કાર્ય કરવાનાં હોય છે. (૧) પાપોનો ત્યાગ (૨) સદાચારનું આસેવન.
હિંસાદિ પાપોનો ત્યાગ કરવો તે યોગની નિવૃતિ બાજુ છે. અને નિર્દોષ-નિરવદ્ય જ્ઞાન-ધ્યાન–તપ વિ. માં પ્રવૃત્તિ કરવી તે યોગની પ્રવૃત્તિ બાજુ છે.
અશુભ મનવચન-કાયાની પ્રવૃત્તિઓનો ત્યાગ અને શુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓને આદર એજ યોગનું પ્રથમ લક્ષણ છે.
' શુભ પ્રવૃત્તિ કરતાં કરતાં આત્મા શુદ્ધ આત્મભાવમાં સ્થિર બનવા સમર્થ બની શકે છે. સર્વથા આત્મસ્વરૂપમાં સ્થિસ્તા–રમણતા એજ યોગની સિદ્ધિ છે. આ યોગ ક્રિયાત્મક હાય, ગુણાત્મક હોય કે ભાવાત્મક પણ હોય. સામાન્યથી કોઈ પણ સત્કાર્ય આત્મશુદ્ધિના લક્ષથી કરવામાં આવે તો તે યોગ કહેવાય છે.
હવે દિલ્હીથી મુંબઈ જનાર મુસાફર ટીકીટ લઈને ગાડીમાં બેસે છે ગાડી ચાલુ થાય છે. હવે જેમ જેમ ગાડી મુંબઈ તરફ આગળ આગળ ગતિ કરતી જાય છે તેમ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org