________________
૧૮૨
પ્રશ્ન – ચારિત્રી કોને કહેવાય?
જેણે પ્રતિજ્ઞાપૂર્વક અંશથી કે સર્વથા હિંસાદિ પાપનો ત્યાગ અને વિષયત્યાગ કર્યો છે તેને જેન દર્શનમાં ચારિત્રી કહે છે.
આ ઉપરથી એક વાત ફલિત થાય છે કે યોગસાધના કરનાર મુમુક્ષુએ અંશથી કે સર્વથા પાપત્યાગ અને વિષયત્યાગ કર જોઈએ. રાતદિવસ હિંસાદિ પાપમાં અને વિષય સુખમાં આસકત રહેનાર યોગસાધનાને અધિકારી નથી.
જૈન દર્શનની પરિભાષામાં કહીએ તો મુખ્યપણે ભેગસાધનાને અધિકારી દેશવિરતિ કે સર્વવિરતિજ છે.
દેશવિરતિ- સમ્યકત્વપૂર્વક સ્કૂલથી વ્રતને ધારણ કરનાર વ્રતધારી ગૃહસ્થ શ્રાવકને હોય છે.
સર્વવિરતિ- સર્વથા કંચન કામિનીના ત્યાગી પંરામહાવ્રતધારી સાધુને હોય છે.
યોગના અધિકારી જીવમાં શરમાવતીપણું, શુકલ પાક્ષિકતા, ભિન્ન ગ્રંથિકતા, અને ચારિત્ર હોવું જોઈએ. આ આત્મા જ તાત્વિક યોગસાધના કરી ઉત્તરોત્તર આગળ આગળની ગુણશ્રેણી પર ચઢનારે હોય છે.
છે કે વ્યવહાર નયની દૃષ્ટિથી અવિરત સમ્યક્દષ્ટિ (૪થા ગુણઠાણાવાળા) અને અપુનબંધકને પણ યોગ હોય છે. પણ નિશ્ચયનયની દૃષ્ટિથી ચારિત્ર મેહનીયના ક્ષયોપશમ વગર યોગ ન સંભવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org