SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ણતા- જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાંજ સંતોષ ન હોય તો સાધનામાં સ્થિરતા આવતી નથી. તેથી બાહ્ય ભૌતિક પદાર્થો તરફ ઉદાસીન ભાવ રાખી મુમુક્ષુનું લક્ષ્ય જ્ઞાનાદિને સાચું ધન માની તેની પ્રાપ્તિમાં જ તેને સંતોષ હવે જરૂરી છે. તત્ત્વદર્શન - ઘા = પરમાર્થે ” ગજ પરમાર્થ છે, યોગજ પરમ જીવનનું રહસ્ય છે. આવી પર્યાલોચના પણ અહર્નિશ જરૂરી છે. આવી પર્યાચના કરતા રહેવાથી યોગ પ્રત્યે વધુને વધુ પ્રેમ–રાગ દઢ થતો જાય છે. અને દઢ રાગ જામી ગયા પછી મુમુક્ષુ પ્રાણુતે પણ તેને સિદ્ધ કર્યા વગર વચમાં અધુરો છોડતો નથી. આ મારી યોગ સાધનાની આગળ ચક્રવર્તીની સિદ્ધિ કે ઇન્દ્રની સિદ્ધિ પણ કંઈ વિસાતમાં નથી. પણ એક પરમાત્મા પદની જ ચાહના બની રહે એજ ખાસ જરૂરી છે. યોગ સિવાયની પ્રવૃત્તિઓ બિનજરૂરી લાગે તેજ યોગની ઉપાદેયતા બરાબર સમજાય. જનપદ ત્યાગ – ગતાનગતિક લોક પ્રવાહને ત્યાગ કરી શુદ્ધ શાસ્ત્રીય માર્ગે ચાલવું જરૂરી છે. લોકોને સારૂં લગાડવાની વૃત્તિ, માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની વૃત્તિ, આત્મ પ્રશંસા-શ્લાઘાને ત્યાગ, લેક તરફથી થતી નિંદા-પ્રશંસા, આદર-સત્કાર-તિરસ્કાર તરફ દુર્લક્ષ પણ ખાસ જરૂરી છે. મુમુક્ષુને માર્ગ અને અજ્ઞાન લેકને માર્ગ અલગઅલગ હોય છે. તેથી બંનેના જીવનના આદર્શ અને રુચિ પણ ભિન્ન ભિન્ન રહે તે સ્વાભાવિક છે. તેથી યોગીને અજ્ઞાન લોકોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy