________________
૧૭૬ પણ વેપારી છે. તે યોગ (ધર્મ) રૂપી વ્યાપાર દ્વારા શાશ્વત જ્ઞાનાદિ ધન પ્રાપ્ત કરે છે. યોગ એ કલ્પવૃક્ષ, ચિંતામણી, કામધેનુથી પણ શ્રેષ્ઠ છે. કારણકે ક૯૫વૃક્ષાદિ તો નશ્વર લૌકિક
ભોજ આપે છે. જ્યારે યોગ તો શાશ્વત લકત્તર જ્ઞાનાદિ ઐશ્વર્ય આપે છે. કે પછી કોઈ કાળે જવાની વાત નહિ અને નવું પ્રાપ્ત કરવાની ચિતાજ નહિ.
ગશાસ્ત્ર માં યોગનાં ચાર પાન બતાવેલા છે. ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ–
પ્રથમ તો સાધકને યોગ સાધવાની પૂર્ણ શુદ્ધ ઈચ્છા જોઈએ જે શુદ્ધ પ્રબળ ઈચ્છા ન હોય તે જોઈએ તેવી યોગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી.
બીજું પાન છે પ્રવૃત્તિઃ- યોગની ઈચ્છા કરવા માત્રથી ન રાલે પણ ઈચ્છા અનુસાર પૂર્ણ વિર્યાલ્લાસની સાથે નિપૂણતાપૂર્વક, શાસ્ત્ર મુજબ સર્વાગ વિધિપૂર્વક યોગના ઉપાયોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
ત્રીજું સોપાન છે. સ્થિરતાવિલ્લાસપૂર્વક શાસ્ત્ર મુજબ વિધિ સાથે સતત પ્રવૃત્તિ કરતાં કરતાં દેની હાનિ થતાં યોગસાધના શુદ્ધ, દેષરહિત બને છે. તેથી યોગ સ્થિર બને છે. અહિં વીર્યની માત્રા પ્રબળ અને નિશ્ચલ બનવાથી યોગમાં બાધક દેની, ચિતા ટળી જાય છે. અહિં અનુષ્ઠાન નિર્દોષ હોય છે. આ સ્થિતિ કંઈ પહેલેથી કઈ સાધકની હોતી નથી. પણ ધીરે ધીરે દઢતાથી વિશ્વાસ સાથે અભ્યાસ ચાલુ રાખવાથી આ અનુષ્ઠાન દોષરહિત શુદ્ધ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org