________________
૧૬૭
(૪) અનુપ્રેક્ષા – મનથી જ સૂત્રાદિના અવિસ્મરણ માટે અને નિર્જરા માટે સૂક્ષ્મ ચિંતન કરવું તે.
પ્રશ્ન- સાધુ જીવનમાં આ ધ્યાનનો અવકાશ કયાં મળે? કારણ કે બે ટાઈમ પ્રતિક્રમણ, બે ટાઈમ વસ્ત્રાદિનું પડિલેહણ, શાસ્ત્ર અધ્યયન, અધ્યાપન કરવાનું, ગોચરી લાવવાની, ગુરૂસેવા-ભક્તિ, બિમાર, તપસ્વી, બાલસાધુની ભક્તિ, વારંવાર ઇરિયાવહિયા, પચ્ચક્ખાણ લેવું—પારવું, સાધુવંદન આમાં ધ્યાનનો અવકાશજ સાધુને કયાં છે?
ઉત્તર- ધ્યાન એટલે કંઈ પર્વતની ગુફામાંજ જઈને પોતાના આવશ્યક કર્તવ્યોને છોડીને જ થઈ શકે આ તમારી માન્યતા ભ્રામક જ છે. શાસ્ત્રકારોએ તો પ્રત્યેક શાસ્ત્રવિહિત અને ઉપગપૂર્વક આવશ્યકાદિ ક્રિયાઓ કરતાં કરતાં ધ્યાન થાય છે તે પ્રમાણે કહ્યું છે. પછી એક ઇરિયાવહીની ક્રિયા પણ ઉપગ સાથે કરે તો તે ક્રિયા પણ ધ્યાન કહેવાય.
જીવદયાના ઉપગપૂર્વક સાધુ ચાલે તે પણ ધ્યાન, ભાષાસમિતિ જાળવી બોલે તે પણ ધ્યાન, શાસ્ત્રાભ્યાસ્ત્ર મનવચન-કાયાની ગુપ્તિપૂર્વક કરે તે પણ ધ્યાન, વિધિપૂર્વક ગુરૂસેવા કરે તે પણ ધ્યાન, અને ઉપગપૂવર્ક ૪૨ દેષરહિત ગેરરીની ગવેષણ કરે તે પણ ધ્યાન.
यदुक्तं प्राचार प्रदीप शुभध्यानं सर्वधर्मक्रियानुगं मानसिकं च नहि तेन काचिद् धर्मक्रिया बाध्यते किंतु सर्वापि प्रत्युत पोष्यते तेन तस्य सार्वकालिकत्वं युज्यते, श्रुतज्ञानं तु पठनगुणनादि साध्यं द्विसन्ध्यावश्यकादिवत् नियत काले एवाचितं तस्यैव सर्वकालं पाठाभ्यासेऽन्यान्य पुण्य क्रिया बाध एव स्यात्, न च तथा युक्तम्, अन्योन्याबाधयेव ता सा युक्तत्वात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org