________________
૧૬૨
સંસાર સમુદ્ર છે. તે સંસાર સમુદ્ર જન્મ મરણાદિ રૂપ ખારા જળથી ભરેલું છે. તેના તળિયે ચાર કષાયરૂપી ચાર પાતાળ કલશે આવેલા છે. તેમાંથી જન્માદિ જલ અખલિત ગતિથી ધમધોકાર ચાલ્યું આવે છે. સેંકડે દુઃખરૂપી જલચર જંતુઓથી યુક્ત છે. મેહરૂપી આવર્ત (ભમરી) છે, જેમાં એવા અતિ ભયાનક સંસાર સ્વરૂપને ચિંતવે. અજ્ઞાનરૂપી વાયુથી પ્રેરિત સંગ-વિયેગરૂપી મેજાંઓની પરંપરા નિરંતર ઉછળી રહેલી છે જેમાં એવા અનાદિ અનંત અશુભ સંસારનું ચિંતન કરે, આ સંસાર જીવને કઈપણ ગુણ ન કરનાર હોવાથી નિર્ગુણ છે.
પ્રશ્ન- આવા ભયાનક હજારે દુઃખથી વ્યાપ્ત સંસાર સાગર તરવાનો કેઈ ઉપાય છે. કે નહિ ? '
ઉત્તર- જરૂર છે, આ સાંસાર સાગરને તરવા માટે સમ્યગ દર્શનરૂપી સુંદર બંધન છે. જ્ઞાનમય કુશળ નિર્યામક છે. અને ચારિત્રરૂપ મહાવહાણ છે. તે વહાણનાં છિદ્રો સંવર વડે પૂરી દેવામાં આવેલા છે, તારૂપી અનુકુળ પવનથી ઈષ્ટ પુરી પ્રતિ પ્રેરિત છે વેગ જેનો, વૈરાગ્યના માર્ગે ચઢેલું છે, દુર્ગાનરૂપી જાઓથી નિષ્પકંપ છે. મુનિરૂપી વેપારીના ૧૮૦૦૦ હજાર શીલાંગરૂપી મહાકિંમતી રત્નોથી ભરેલું છે. અને આ ચારિત્રરૂપી વહાણમાં ચઢીને નિર્વાણ પુરને સ્વલ્પ કાળમાં નિર્વિદને પ્રાપ્ત કરે છે.
અથવા ઘણું લખવાથી શું? ધર્મધ્યાની સકલ જીવાદિ પદાર્થોના વિસ્તારથી યુક્ત, સર્વનયના સમુહમય એવા સિદ્ધાંતના અર્થનું ધ્યાન-ચિંતન કરે. આ રીતે લેકવત દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org